Ram Mandir Trust Tax | અયોધ્યાનું (Ayodhya) શ્રી રામ મંદિર હાલમાં ચઢાવામાં થયેલી કથિત ગેરરીતિઓને કારણે ચર્ચામાં છે અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના (Trust) તમામ વ્યવહારોની તપાસ ચાલી રહી છે.
આ દરમિયાન એક રસપ્રદ માહિતી સામે આવી છે કે, જે ટ્રસ્ટને ભક્તો તરફથી મળતા દાન (Donation) પર કોઈ ટેક્સ (Tax) ચૂકવવો પડતો નથી, તેણે છેલ્લા 5 વર્ષમાં સરકારના ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવ્યા છે.
ટ્રસ્ટના સચિવ ચંપત રાયે આપેલી માહિતી અનુસાર, 5 ફેબ્રુઆરી 2020 થી લઈને અત્યાર સુધીમાં ટ્રસ્ટે સરકારને ટેક્સના રૂપમાં કુલ 396 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
આ રકમમાંથી 266 કરોડ રૂપિયા જીએસટી (GST) તરીકે ચૂકવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 130 કરોડ રૂપિયા અન્ય સરકારી ટેક્સ અને શુલ્કના રૂપમાં આપવામાં આવ્યા છે.
હવે સવાલ એ થાય કે જો દાન ટેક્સ ફ્રી (Tax-free) છે, તો આ પૈસા કઈ રીતે ગયા? વાસ્તવમાં, ટ્રસ્ટને દાન પર ટેક્સ નથી લાગતો, પરંતુ મંદિર નિર્માણ અને મેન્ટેનન્સ (Maintenance) માટે જે ખર્ચ થાય છે તેના પર ટેક્સ લાગે છે. મંદિરમાં અત્યાર સુધી 2,150 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે.
આ નિર્માણ કાર્ય માટે જ્યારે પણ પથ્થર કે અન્ય સામગ્રી ખરીદવામાં આવી, કોન્ટ્રાક્ટર્સને (Contractors) પેમેન્ટ કરવામાં આવ્યું, જમીનનું રજીસ્ટ્રેશન (Registration) થયું કે નકશા પાસ કરાવવાની સરકારી ફી ચૂકવવામાં આવી, ત્યારે આ તમામ વ્યવહારો પર લાગતો જીએસટી અને રોયલ્ટી (Royalty) ટ્રસ્ટે સરકારને ચૂકવવી પડી છે. આ ઇનડાયરેક્ટ (Indirect) પદ્ધતિથી ટ્રસ્ટના ખજાનામાંથી સરકારને કરોડો રૂપિયા મળ્યા છે.
US Iran War | અમેરિકા (US) અને ઈરાન (Iran) વચ્ચે શરૂ થયેલા યુદ્ધના 5 મહિના…
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ (Commonwealth Games 2026) માં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી…
Surat Doctor Suicide | સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital Surat) અને ગવર્નમેન્ટ…
Parliament Deadlock Discussion | દિલ્હી (Delhi)ના જંતર મંતર (Jantar Mantar) ખાતે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ…
FMCG Price Hike | મોંઘવારીના મારથી પીડાતા સામાન્ય ભારતીય ગ્રાહકો માટે વધુ એક ખરાબ સમાચાર…
હર ધર તિરંગા‘ ને ‘હર દિલ તિરંગા‘ નું જન આંદોલન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું…