Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

સમગ્ર દેશમાં ત્રણ ગણું અંગ પ્રત્યારોપણ; 5000 (2013) થી વધીને 2022 માં 15000 થી વધુ

H S May 3, 2023
4 or2

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ અંગદાન નીતિની સમીક્ષા કરી; આંતરરાષ્ટ્રીય ધોરણોમાંથી શિક્ષા લેવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હી, તા.03-05-2023

ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેક્ટરમાં સુધારા માટે દૂરદર્શી માળખાકીય ફેરફારોની તૈયારી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિની સમીક્ષા કરતા, ડૉ. ભારતી પ્રવિણ પવાર, એમઓએસ (આરોગ્ય)ની હાજરીમાં આ અંગેના નિર્દેશો આપ્યા હતા.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “મન કી બાત” કાર્યક્રમના 99મા એપિસોડમાં દેશવાસીઓને અંગદાનના ઉમદા હેતુ માટે આગળ આવવા આહવાન કર્યું હતું. આનાથી દેશમાં અંગદાનને નવી ગતિ મળી છે. દેશમાં કુલ અંગ પ્રત્યારોપણની સંખ્યા વર્ષ 2013માં 5000 કરતાં ઓછી હતી તે વર્ષ 2022માં વધીને 15000થી વધુ થઈ ગઈ છે. હવે, અંગ અને પેશીઓના નેટવર્ક દ્વારા રાષ્ટ્રીય (NOTTO), પ્રાદેશિક (ROTTO) અને રાજ્ય સ્તર (SOTTO) પર ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાઓના વધુ સારા સંકલનને કારણે મૃત દાતા દીઠ વધુ અંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દા.ત. વર્ષ 2016માં 930 મૃત દાતાઓમાંથી 2265 અંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે વર્ષ 2022માં 904 મૃત દાતાઓમાંથી 2765 અંગોનો ઉપયોગ થઈ શક્યો હતો.

NOTTO હોસ્પિટલોમાં અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામના અમલીકરણ માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા તરીકે ટ્રાન્સપ્લાન્ટ મેન્યુઅલ પર કામ કરી રહ્યું છે અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સની તાલીમ માટેના માનક કોર્સ પર પણ કામ કરી રહ્યું છે. આ બંને દસ્તાવેજો ટૂંક સમયમાં પૂર્ણ કરીને બહાર પાડવામાં આવશે. પ્રોગ્રામના વધુ સારી રીતે અમલીકરણ માટે NOTTO માં સંકલન, IEC, તાલીમ અને HR/એકાઉન્ટ માટે ચાર વર્ટીકલ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ, જેઓ જાહેર હિતમાં વિશેષ કલ્યાણના પગલા તરીકે અન્ય માનવીને અંગ દાન કરે છે તેને સરકાર દ્વારા 42 દિવસ સુધીની વિશેષ કેઝ્યુઅલ રજાઓ મંજૂર કરી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દેશમાં અંગોના દાન અને પ્રત્યારોપણને વધારવા માટે વધુ નીતિગત સુધારાઓ માટે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવાને પણ અપનાવી રહ્યું છે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અનિયમિત ભંડોળ અને અનેક જોગવાઈઓના ઉલ્લંઘનને કારણે પોસ્ટલ યુનિયનની માન્યતા રદ
Next: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા PC-PNDT એક્ટ અંતર્ગત લિંગપરીક્ષણ કરતી બે હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન કરાયા સીલ
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.