ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના (Kinjal Rabari) આંતરજ્ઞાતીય લગ્નને (Intercaste Marriage) લઈ વિવાદ વધુ ઘેરો બન્યો છે. બનાસકાંઠામાં (Banaskantha) રબારી અને ચૌધરી સમાજના (Chaudhary Community) અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં દીકરા-દીકરી પોતાના સમાજમાં પરત ફરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રબારી સમાજના આગેવાન બળદેવભાઈ દેસાઈએ જણાવ્યું કે, પ્રતિષ્ઠિત વ્યક્તિના આવા નિર્ણયથી સમાજમાં ખોટી અસર પડે છે.
બીજી તરફ, કિંજલ રબારીએ સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો શેર કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. કિંજલે જણાવ્યું કે તેણે અશોક ચૌધરી (Ashok Chaudhary) સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા છે, છતાં તેને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ (Threats) મળી રહી છે. કિંજલે સમાજની બેવડી નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “જ્યારે દીકરાઓ બીજા સમાજની સ્ત્રીને લાવે ત્યારે સ્વીકાર્ય છે, પણ દીકરી નિર્ણય લે તો વિરોધ કેમ?”
પતિ પર હુમલો થયો હોવાનો દાવો કરતા કિંજલે પોલીસ પ્રોટેક્શનની (Police Protection) માંગ કરી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં તેને કે તેના પતિને કંઈ પણ નુકસાન થશે, તો તેની જવાબદારી તેના પરિવારની રહેશે. હાલમાં આ મામલે કાનૂની સલાહ લેવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં (Gujarat) આ કિસ્સો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
