Barrierless Toll Surat | પરિવહન ક્ષેત્રે સુરતે (Surat) આજે દેશભરમાં ડંકો વગાડ્યો છે. ભારતનો સૌપ્રથમ Barrierless (બેરિયરલેસ) ટોલ પ્લાઝા આજથી એટલે કે 1 મે, 2026 થી સુરતમાં વિધિવત રીતે શરૂ થઈ ગયો છે. આ નવી ટેકનોલોજીના આગમન સાથે હવે વાહનચાલકોએ ટોલ નાકા પર લાંબી કતારોમાં ઉભા રહેવાની કડાકૂટમાંથી મુક્તિ મળશે.
સુરત અને ભરૂચ વચ્ચેના NH48 (મુંબઈ-દિલ્હી હાઈવે) પર છેલ્લા 2 મહિનાથી આ આધુનિક સિસ્ટમનું Trial (ટ્રાયલ) ચાલી રહ્યું હતું. National Highways Authority of India (NHAI) દ્વારા હાથ ધરાયેલું આ ટેસ્ટિંગ સફળ રહેતા કામરેજ પાસે આ સુવિધા લોન્ચ કરવામાં આવી છે.
આ વ્યવસ્થા મુખ્યત્વે Automatic Number Plate Recognition (ANPR) ટેકનોલોજી પર આધારિત છે. હાઈવે પર લગાવેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા પસાર થતી ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરશે અને FASTag (ફાસ્ટેગ) સાથે જોડાયેલા ખાતામાંથી રકમ સીધી જ ડેબિટ થઈ જશે.
આ ટેકનોલોજીને કારણે હવે વાહનો 80 km/h (કિમી પ્રતિ કલાક) ની ઝડપે ટોલ પ્લાઝા પરથી પસાર થઈ શકશે. આ Contactless (સંપર્ક રહિત) પ્રક્રિયાથી વાર્ષિક અંદાજે 1500 કરોડ રૂપિયાના બળતણની બચત થશે.
કેન્દ્ર સરકાર વર્ષ 2026 ના અંત સુધીમાં દેશના 1050 થી વધુ ટોલ પ્લાઝાને આ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) બેઝ્ડ સિસ્ટમથી સજ્જ કરવાનું લક્ષ્ય ધરાવે છે. કામરેજ અને ચોર્યાસી જેવા વ્યસ્ત વિસ્તારોમાં હવે ટ્રાફિક જામ ભૂતકાળ બની જશે, જેનાથી મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે.
