Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ભારતનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ

Chief Editor May 14, 2026
14 r3

 

₹20,667 કરોડના ખર્ચે વિકસિત થશે ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ

 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિ (CCEA) એ આજે રેલ મંત્રાલયની અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે ₹20,667 કરોડના ખર્ચવાળી આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે.

લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી રેલવે લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR), આવનારા ધોલેરા એરપોર્ટ તેમજ લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા વચ્ચેના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે મુસાફરો માટે દૈનિક આવાગમન તથા એક જ દિવસે આવવા-જવાની સુવિધા વધુ સરળ અને આરામદાયક બનશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઐતિહાસિક નિર્ણય અંગે જણાવ્યું:

 


“અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતના રેલવે ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઈન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ આગામી વર્ષોમાં દેશભરમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.”

અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે. તેમણે કહ્યું:
“આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી આપશે. તેના દ્વારા મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરીની સુવિધા મળશે તેમજ વિસ્તારમાં રોજગાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ મોટો લાભ થશે. આ પ્રોજેક્ટથી ધોલેરા અને અમદાવાદ વચ્ચેનું અંતર 1 કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે અને ધોલેરા સીધું અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર સાથે જોડાઈ જશે.”

આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટથી આશરે 284 ગામો અને લગભગ 5 લાખ વસ્તીને સીધો લાભ મળશે.

ભારતીય રેલ્વેના અનુસાર આ પ્રોજેક્ટ પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેના દ્વારા આશરે 0.48 કરોડ લિટર તેલની બચત થશે તેમજ લગભગ 2 કરોડ કિલોગ્રામ CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે લગભગ 10 લાખ વૃક્ષોના રોપણ જેટલા પર્યાવરણીય લાભ સમાન છે.

આ પ્રોજેક્ટને વર્ષ 2030-31 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ગુજરાતમાં 72 IAS અધિકારીઓની બદલી: કલેક્ટર અને કમિશનરો બદલાયા
Next: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સાબરમતી રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું
Follow

Recent Posts

  • એસ્ટેટ મેનેજમેન્ટ યોજના: ગુજરાતમાં મિલકતની નોંધણી અને ભાડાની ચુકવણી હવે થશે ઓનલાઇન
  • વીડી સતીશન કેરળના નવા મુખ્યમંત્રી: કેસી વેણુગોપાલની બાદબાકી, હાઈકમાન્ડે લીધો આખરી નિર્ણય
  • ગુજરાતમાં 1,141 વ્યાયામ શિક્ષકોની ભરતી થશે, જાણો લાયકાત અને વયમર્યાદાની વિગતો
  • ગાંધીનગરમાં નબીરાઓ બેફામ કાર ચલાવતા પિલર સાથે અથડાઈ, એરબેગ્સના કારણે બે યુવકના જીવ બચ્યા
  • ચોટીલાના સાંગણી ગામ પાસે ડામરના ટેન્કર સાથે લક્ઝરી બસ અથડાતા 4 મુસાફરો જીવતા સળગ્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.