Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પાલીતાણાના ગરાજીયા ગામમાં પશુપાલક પર સિંહણનો જીવલેણ હુમલો: વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ

Chief Editor July 6, 2026
Palitana Lion Attack

Palitana Lion Attack | ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકામાં આવેલા ગરાજીયા ગામે વન્ય પ્રાણીઓનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ગરાજીયા ગામના વતની કાળુભાઇ બોઘાભાઈ પરમાર નામના પશુપાલક રોજની જેમ સીમ વિસ્તારમાં પોતાના માલઢોર ચરાવવા માટે ગયા હતા.

આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલી સિંહણે તેમના પર જીવલેણ (Lion Attack) હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં સિંહણે કાળુભાઈના શરીરના ઉપરના ભાગે પંજા માર્યા હતા અને તેમનો હાથ મોંમાં લઈ લીધો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

પશુપાલકની ચીસાચીસ અને પશુઓના હોબાળાને પગલે આસપાસથી સ્થાનિક લોકો દોડી આવતા સિંહણ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ઘાયલ પશુપાલકને તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ (Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે.

પાલિતાણા ના ના ગરજીયા ગામે માલધારી કાળુભાઈ ગમારા પર સિંહે કર્યો હુમલો કર્યો છે.

સીમ વિસ્તારમાં આવેલ માલધારીના ઘરે સિંહે કર્યો હુમલો કર્યો હતો, ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.#Lion#Gir#Bhavnagar#AnimalAttack pic.twitter.com/zSN4ViANvB

— Dr. Kiran J Patel (@kiranpatel1977) July 6, 2026

સિંહ ઘરમાં ઘૂસી જતાં અફરાતફરી અને ભયનો માહોલ સ્થાનિક રહેવાસી હેમુભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે અંદાજે 8:30 થી 9 વાગ્યાની આસપાસ બની હતી. સિંહણે નેહડું પાસેથી દોડીને પશુપાલક પર હુમલો કર્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ ત્યાંથી ભાગીને પોતાની બહેનના ઘરે અને ત્યારબાદ બીજા એક ઘરે ગયો હતો, જ્યાં સિંહ પણ પાછળ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઈજાગ્રસ્તના સગા જયેશ ગમારાના જણાવ્યા મુજબ, અગાઉ સિંહ હંમેશાં ગામની બહાર જ રહેતો હતો, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે સિંહણ સીધી ઘરની અંદર સુધી આવી ગઈ છે. આ ઘટનાનો એક વીડિયો (Video) પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સિંહ યુવકનો પગ પકડીને બેઠો હોય તેવું દ્રશ્યમાન થાય છે. આ ઘટના બાદ ગામના લોકોમાં એટલો ભય વ્યાપી ગયો છે કે તેઓ હવે પોતાના બાળકોને એકલા શાળાએ મોકલતા પણ ડરી રહ્યા છે.

વન વિભાગની મોડી કામગીરી સામે પરિવારનો આક્રોશ આ હિંસક ઘટના બાદ ઈજાગ્રસ્તના પરિવારજનો અને ગ્રામજનોમાં વન વિભાગ (Forest Department) સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે સિંહણના હુમલાની તુરંત જાણ કરવા છતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે લગભગ 2 કલાક મોડી પહોંચી હતી.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ આવ્યા ખરા પરંતુ માત્ર જોઈને જતા રહ્યા હતા અને કોઈ કડક પગલાં લીધા નહોતા તેમજ પૂછપરછ દરમિયાન યોગ્ય જવાબ પણ આપ્યો નહોતો.

ગરાજીયા અને આસપાસના ગામના લોકોએ વન વિભાગ પાસે ઉગ્ર માંગ કરી છે કે આ હિંસક સિંહણને વહેલી તકે પાંજરે પૂરીને (કબજે કરીને) માનવ વસ્તીથી દુર ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ફરી ન બને.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bhavnagar (ભાવનગર) Lion Attack (સિંહનો હુમલો) Palitana (પાલીતાણા)

Post navigation

Previous: રાજ્યપાલ સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત
Next: રેલ્વેની ચોમાસાની તૈયારી અને સલામતી પર ખાસ ધ્યાન
Follow

Recent Posts

  • રેલ્વેની ચોમાસાની તૈયારી અને સલામતી પર ખાસ ધ્યાન
  • પાલીતાણાના ગરાજીયા ગામમાં પશુપાલક પર સિંહણનો જીવલેણ હુમલો: વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ
  • રાજ્યપાલ સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત
  • ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
  • ગુજરાતમાં મેઘતાંડવ: 6 જિલ્લામાં રેડ એલર્ટ અને અમદાવાદમાં 4 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.