
અયોધ્યામાં ઐતિહાસિક શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે, ઉત્તર અમેરિકામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ભક્તો અને શુભેચ્છકો, વૈશ્વિક હિંદુ સમુદાયની સાથે, આનંદની ઉજવણીમાં એકઠા થયા હતા. આ શુભ પ્રસંગ પાંચ સદીઓમાં ફેલાયેલી અસાધારણ યાત્રાની પરાકાષ્ઠા રૂપ છે, જે અસંખ્ય સ્વામીઓ, મહંતો, આચાર્યો અને સમર્પિત વ્યક્તિઓના બલિદાન અને અતૂટ વિશ્વાસનો જીવતો જાગતો પુરાવો છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ, બીએપીએસએ વિશ્વભરમાં તેના ૧૫૦૦ મંદિરો અને ૨૧૦૦૦ સત્સંગ સમુદાયોમાં ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ ઉજવણી નિમિત્તે વિશ્વભરના બીએપીએસ ભક્તો એકત્ર થયા હતાં. તેમના ઘરો અને પૂજા સ્થાનોને દિવાળીની જેમ જ દીવાઓ અને લાઇટોથી શણગાર્યા. ઉદઘાટન સમારોહનું અયોધ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે ભારતના આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રભાવી ઉપસ્થિત દ્વારા નિમિત્ત હતું.

“ઘણી પેઢીએ અનેક વર્ષોથી જોયેલું સ્વપ્ન!” આ ઉદ્ગારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વેની લાગણીને વાચા જાણે આપી! શ્રી રામ મંદિરનું નિર્માણ કષ્ટો, વિપત્તિઓ, તપસ્યા અને શ્રદ્ધા દ્વારા સિંચિત યાત્રા છે. વર્ષોથી, દૂરંદેશી નેતાઓ તેમજ આદરણીય સ્વામીઓ અને મહંતોના પ્રયાસોએ શ્રી રામ જન્મભૂમિ મંદિરના ઉદ્દેશ્યને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

આધ્યાત્મિક નેતાઓની આકાંક્ષાઓ સાથે મળીને બીએપીએસએ મંદિરના નિર્માણને ટેકો આપ્યો છે. ૧૯૫૩, ૧૯૫૬ અને ૧૯૬૯માં શ્રી રામ મંદિરના નિર્માણ માટેની પ્રાર્થનાના ભાગરૂપે અયોધ્યામાં પરમ પૂજ્ય યોગીજી મહારાજ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજે અખંડ ધૂન અને અખંડ જપમાં ભાગ લીધો હતો. ૧૯૮૯માં એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપે, પ્રમુખ સ્વામી મહારાજે મંદિરના પાયાની શ્રી રામ શિલા (ઈંટ) ની પ્રથમ પૂજા કરી હતી.

ઈન્ડિયા એસોસિએશન નોર્થ ટેક્સાસના પ્રમુખ શ્રી સુષ્મા મલ્હોત્રાએ આ પ્રકલ્પને પૂર્ણ કરવા માટે એકત્રિત સર્વે લોકો પ્રત્યે કૃતજ્ઞતા  પ્રગટ કરતાં કહ્યું હતું કે, “હું પરંપરા અને ભાવિ વારસાને દૃઢપણે માનું છું. આ રામ મંદિર એ વારસો છે જે આપણે આપણી ભાવિ પેઢીઓને સમર્પિત કરીએ છીએ. “.
ઉત્તર અમેરિકામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોએ ભગવાન શ્રી રામના સાર્વત્રિક સંદેશાઓને પ્રતિઘોષિત કરવા માટે વિશેષ સભાઓ યોજી હતી. આનંદ અને ઉત્સવની આ અભિવ્યક્તિમાં વિશ્વભરનાં બીએપીએસ ભક્તોએ ભગવાન શ્રી રામ માટે તેમના પ્રેમ અને આદર દર્શાવતા, તેમના ઘરોને ફૂલો અને મીઠાઈઓથી શણગાર્યા. વિશ્વભરના ભક્તોએ વેબકાસ્ટ દ્વારા આ ઘટના સાથે જોડાઈને દિવ્યતાનો અનુભવ કર્યો. આ પ્રસંગ ભૌગોલિક સીમાઓને ઓળંગીને ભક્તિની એકીકૃત શક્તિનું પ્રદર્શન જાણે કરે છે.
વધુમાં, પ.પૂ. મહંત સ્વામી મહારાજ પણ ગુજરાત, ભારતમાંથી વર્ચ્યુઅલ રીતે ઉજવણીમાં જોડાયા હતા. બીએપીએસના વરિષ્ઠ સ્વામીઓએ મહંત સ્વામી મહારાજ વતી આમંત્રણ સ્વીકાર્યું હતું અને અયોધ્યામાં પૂજા અને ઉજવણીમાં ભાગ લીધો હતો. પ.પૂ.મહંત સ્વામી મહારાજે સંદેશો આપ્યો હતો કે, “આ દિવ્ય અવસર પર, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન શ્રી રામ બધા પર તેમના આશીર્વાદ વરસાવે જેથી સમગ્ર ભારત અને વિશ્વમાં શાંતિ અને સુખ રહે.”

 
				 
						 
						 
                             
                             
                             
                             
                             
                                
                                
                               