Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat How Dare You? Ajit Pawar's Heated Exchange With Woman IPS Officer Over Excavation cm-bhupendra-patel-interacted-with-students-on-teachers-day-celebrations Dialogue meeting with diplomats and heads of missions in Delhi concluded in the presence of Bhupendra Patel National Book Read Day 2025
  Was a conspiracy hatched to implicate Mohan Bhagwat in the Malegaon blast case

દેશમાં 1 દાયકાથી વધુ સમય સુધી બહુચર્ચિત રહેલા અને રાજકીય રીતે સંવેદનશીલ રહેતા 2008 માલેગાંવ બ્લાસ્ટ (Malegaon Blast Case) કેસમાં 31 જુલાઈ 2025ના રોજ NIAની સ્પેશ્યલ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર અને કર્નલ પુરોહિત સહિતના 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.

આ ચુકાદાથી ‘ભગવા આતંકવાદ’ નેરેટિવ સેટ કરવા મથી રહેલા લોકોના મોઢે તાળાં લાગી ચૂક્યાં છે અને બીજી તરફ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમાં સામે આવ્યું છે કે તપાસ દરમિયાન ATSના અધિકારીઓને RSSના સરસંઘચાલક મોહન ભાગવતની ધરપકડ (Mohan Bhagwat Arrest) કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

તત્કાલીન ATS અધિકારી મેહબૂબ મુજાવરે તાજેતરમાં દાવો કર્યો છે કે માલેગાંવ બ્લાસ્ટની તપાસ દરમિયાન તેમના તત્કાલીન ઉપરી અધિકારીઓએ તેમને RSSના સરસંઘચાલક મોહન ભગવતની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.

મુજાવરના જણાવ્યા મુજબ, આ આદેશ રાજકીય દબાણ હેઠળ આપવામાં આવ્યો હતો અને તપાસને ‘હિંદુ આતંકવાદ’ના ખોટા નેરેટિવ તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આ આદેશ પાછળ કોઈ નક્કર પુરાવો ન હતો એકમાત્ર ઈરાદો રાજકીય હેતુ પાર પાડવાનો હતો.



આ પણ વાંચોઃ ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર

સચરાચરની Whatsapp Channelમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: