રાજકોટ (Rajkot) માં આવેલી એઈમ્સ (AIIMS) હોસ્પિટલના એક રેસિડેન્ટ તબીબે ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત (Suicide) કરી લેતા તબીબી જગતમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, એઈમ્સમાં ફરજ બજાવતા ડોક્ટર રતનકુમાર મેઘવાળ (Dr. Ratankumar Meghwal) એ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ (Railway Police) ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
આત્મહત્યાનું કારણ અકબંધ ડોક્ટર રતનકુમારના આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ હાલમાં માનસિક તણાવ (Mental Stress), કામનું ભારણ (Workload) કે કોઈ અંગત કારણોસર આ પગલું ભર્યું છે કે કેમ, તે દિશામાં તપાસ (Investigation) કરી રહી છે.
દોઢ મહિના પહેલા પણ સર્જાયો હતો વિવાદ ચોંકાવનારી વાત એ છે કે, 28 જાન્યુઆરીના રોજ પણ આ જ ડોક્ટર ભેદી સંજોગોમાં ગુમ (Missing) થયા હતા, જેને લઈને એઈમ્સમાં ભારે ચર્ચાઓ જાગી હતી. આ અગાઉની ઘટના અને વર્તમાન આપઘાત વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
