Kirti Patel Controversy | સોશિયલ મીડિયા (Social Media) પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ (Kirti Patel) ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. જૂનાગઢના ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળા (Maha Shivratri Mela) દરમિયાન કીર્તિ પટેલે મૃગીકુંડમાં (Mrigi Kund) ડૂબકી લગાવી હતી.
ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ-સંતોના શાહી સ્નાન (Shahi Snan) સમયે કુંડમાં ઉતરી પડતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે જ્યારે સાધુઓની પરંપરાગત રવેડી (Ravedi) નીકળી હતી, ત્યારે કીર્તિ પટેલ (Kirti Patel) ભગવા વસ્ત્રો પહેરીને ત્યાં પહોંચી હતી.
વાઈરલ વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે કીર્તિ સાધુઓની વચ્ચે મૃગીકુંડમાં ડૂબકી લગાવી ‘હર હર મહાદેવ’ના નાદ કરી રહી છે. આ ઘટનાની જાણ થતા જ તંત્રએ તાત્કાલિક કીર્તિ પટેલ (Kirti Patel)ને ત્યાંથી દૂર કરી હતી.
આ મામલે પ્રાંત અધિકારીએ (Prant Officer) જણાવ્યું છે કે મૃગીકુંડના નીતિ-નિયમો અંગે સાધુ-સંતો સાથે ચર્ચા કરવામાં આવશે. જો આ કૃત્યથી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોવાનું જણાશે, તો કીર્તિ પટેલ (Kirti Patel) સામે કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરવામાં આવશે. આ ઘટનાને લઈને સ્થાનિક સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
