Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શિકાગો ખાતે શ્રી સીમંધર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી

Chief Editor April 2, 2026
2-4 jAIN1

ઋષિ મંડલ મહાપૂજન – શનિવારે, એપ્રિલ ૦૪ બપોરે ૧૨:૩૯ કલાકે

શ્રી ઋષિ-મંડલ સ્તોત્ર એ જૈન શાસનનું એક અત્યંત પ્રભાવશાળી અને મંત્રમય સ્તોત્ર છે. આ સ્તોત્રની રચના મહાવીર સ્વામી ના પ્રથમ ગણધર શિષ્ય અને અનેક લબ્ધી ના માલિક શ્રી ગૌતમ સ્વામી દ્વારા કરવામાં આવી છે. આજના અશાંત અને વિવિધ ચિંતાઓથી ઘેરાયેલા મનને શાંત સ્વચ્છ અને શુદ્ધ બનાવવું હોય અને દુર્જન મનુષ્ય દૃષ્ટ દેવ દેવીઓ ગ્રહો વિગેરેના ઉપદ્રવ નડતા હોય ત્યારે આ ઋષિ મંડલ મહા પૂજન મન વચન કાયાની એકાગ્રતા પૂર્વક કરવાં આવે તો બધા ઉપદ્રવો નાશ પામે અને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. નિયમિત પઠનથી સમ્યક દર્શન દ્રઢ બને છે અને પંચ પરમેષ્ઠી પ્રત્યેની શ્રદ્ધા ગાઢ થાય અને પરંપરાએ મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે.

પૂજનમાં ૫ મુખ્ય પીઠિકા અને ૫૦ નાની પીઠિકા નું આયોજન કરવામાં આવશે. પીઠિકા દીઠ નકરો મુખ્ય પીઠિકા માટે $૫૦૪ અને નાની પીઠિકા માટે $૭૫ નક્કી કરવામાં આવેલ છે. પૂજનમાં લાભ લેનાર મુખ્ય પીઠિકાના પરિવારને મોટુ અને અન્ય પરિવારને નાનું યંત્ર આપવામાં આવશે અને તે યંત્ર પૂજન બાદ ઘરે લઈ જવાનું રહેશે. પૂજનમાં પરિવારના બધા સભ્યથી લાભ લેવાશે. પૂજાના વસ્ત્ર હોવા જરૂરી છે.

————————————————————————————————————————————————————————————————

શ્રી સીમંધર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે હાર્દિક આમંત્રણ.

કાર્યક્રમની વિગત

  • તારીખ: રવિવાર, ૧૨ એપ્રિલ, ૨૦૨૬

  • સમય: સવારે ૧૦:૦૦ કલાકે


મુખ્ય આયોજન

 

 

શ્રી સીમંધર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી અત્યંત ભક્તિભાવપૂર્વક કરવામાં આવશે, જેમાં નીચે મુજબના ધાર્મિક કાર્યક્રમો યોજાશે:

  • સ્નાત્ર પૂજા: પ્રભુના જન્મોત્સવ નિમિત્તે વિધિવત સ્નાત્ર પૂજા ભણાવવામાં આવશે.

  • અષ્ટ પ્રકારી પૂજા: શ્રી સીમંધર સ્વામીની વિશેષ અષ્ટ પ્રકારી પૂજા કરવામાં આવશે.

  • ઘી બોલી: અષ્ટ પ્રકારી પૂજા, આરતી અને મંગલ દીવો કરવાના લાભાર્થે ઘી બોલી કરવામાં આવશે.

  • શાંતિ કલશ: કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર (લાભાર્થી) દ્વારા શાંતિ કલશ પૂજન કરવામાં આવશે.

  • સ્વામીવત્સલ્ય: પૂજાના અંતે સમૂહ ભોજન (સ્વામીવત્સલ્ય) રાખવામાં આવેલ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમેરિકામાં શ્રી યમુના મહારાણીજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી
Next: ટ્રમ્પે 20 મિનિટના ભાષણમાં ઈરાન અને હોર્મુઝ મુદ્દે દુનિયાને શું કહ્યું….
Follow

Recent Posts

  • રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી
  • વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદની મુલાકાત રેલવેમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે લીધી
  • મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો, ચંદ્રિમા ભટ્ટાચાર્યે બંગાળ TMC ચીફ સહિત તમામ પદો પરથી આપ્યું રાજીનામું
  • ‘તને તો હું જ મારીશ’ ગેંગ્સ ઓફ વાસેપુરના ગેંગસ્ટર પ્રિન્સ ખાને ધારાસભ્ય પાસે માંગી ખંડણી, આપી 24 કલાકની મિલત
  • ‘પપ્પા, તમે મારી જિંદગી બનાવી દીધી…’ દીકરીએ સંભળાવી ઓટો ડ્રાઈવર પિતાના સંઘર્ષની ભાવુક કહાની
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.