Business

હવે ક્લેમ કર્યા વિના મળશે PF ના પૂરા પૈસા, 1.18 લાખ લોકોની થઈ ઓળખ, જાણો ક્યારે આવશે રિફંડ?

PF Automatic Refund | બેંક (Bank), એલઆઈસી (LIC) અને ઈપીએફઓ (EPFO) માં હજારો કરોડ રૂપિયા અનક્લેમ્ડ (Unclaimed) પડ્યા છે, આ રકમ વર્ષાનુવર્ષ વધતી જઈ રહી છે. પરંતુ હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ પૈસા સાચા હકદાર સુધી પહોંચાડવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે.

ઓફલાઇન (Offline) કે ઓનલાઇન (Online) ક્લેમ કર્યા વિના જ 1 લાખથી વધુ કર્મચારીઓના બેંક એકાઉન્ટ (Bank Account) માં નિષ્ક્રિય પીએફ (PF) ના પૈસા સીધા ટ્રાન્સફર (Transfer) થવા જઈ રહ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના EPFO એ આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 1.18 લાખ ઇન-એક્ટિવ (In-active) ખાતાઓની ઓળખ અને વેરિફિકેશન (Verification)નું કામ પૂરું કરી લીધું છે.

ક્લેમ કર્યા વિના ખાતામાં આવશે બાકી પૈસા અત્યાર સુધી કોઈ જૂના અથવા નિષ્ક્રિય પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ખાતાધારકે પોતે ક્લેમ કરવો પડતો હતો. પરંતુ સરકારની આ નવી ઓટોમેટિક રિફંડ સિસ્ટમ (Automatic Refund System) હેઠળ પીએફ સબ્સ્ક્રાઇબર્સ (Subscribers) એ કોઈ ફોર્મ (Form) ભરવું પડશે નહીં. EPFO પોતે જ આવા ખાતાઓની ઓળખ કરીને લિંક્ડ બેંક ખાતાઓમાં વ્યાજ સાથે પૂરી રકમ સીધી ટ્રાન્સફર કરી દેશે.

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ 23 ફેબ્રુઆરી 2026 ના રોજ આ પાયલોટ પ્રોજેક્ટ (Pilot Project) ને મંજૂરી આપી હતી. પ્રથમ તબક્કામાં તે નિષ્ક્રિય પીએફ ખાતાઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં 1,000 રૂપિયા કે તેથી ઓછી રકમ જમા છે. હાલમાં આવા લગભગ 7.11 લાખ ખાતાઓની ઓળખ કરવામાં આવી છે, જેમાં કુલ 30.52 કરોડ રૂપિયાની અનક્લેમ્ડ રકમ પડી છે.

EPFO એ જણાવ્યું કે હાલમાં 1.18 લાખ સબ્સ્ક્રાઇબર્સના બેંક ખાતાઓ સહિત બાકીના વેરિફિકેશનનું કામ સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે. સુરક્ષિત પ્રક્રિયા માટે પીએફ ખાતાઓનું એક્ટિવ બેંક ખાતાઓ સાથે મિલાન કરવા ખાતામાં 1 રૂપિયો મોકલીને વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.

C-DAC દ્વારા EPFO ના આઈટી પ્લેટફોર્મ (IT Platform) ને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. નવા પ્લેટફોર્મમાં ‘સિસ્ટમ-જનરેટેડ ક્લેમ’ (System-generated claim) નું ફીચર ઉમેરાઈ રહ્યું છે. આ કામ ઓગસ્ટના અંત સુધીમાં પૂરું થવાની આશા છે, જે પછી પૈસા ટ્રાન્સફર થવાનું શરૂ થશે.

મોટા ખાતાઓ પર પણ લાગુ થશે નિયમ જો 1,000 રૂપિયા સુધીની રકમવાળો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો સરકાર તેને મોટા પાયે લાગુ કરશે. ત્યારબાદ તે 24.76 લાખ નિષ્ક્રિય ખાતાઓના પૈસા પણ ઓટોમેટિક રીતે રિફંડ કરવામાં આવશે, જેમાં 1,000 રૂપિયાથી વધુની રકમ પડી છે. આંકડા મુજબ, છેલ્લા બે દાયકામાં લગભગ 31.86 લાખ નિષ્ક્રિય ખાતાઓમાં આશરે 10,903 કરોડ રૂપિયા અટવાયેલા છે.

Chief Editor

Recent Posts

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું કર્યું નિરીક્ષણ કર્યું અને માલ પરિવહન સુવિધાઓનું…

12 hours ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનના 5 વર્ષ

સુશાસનના 5 વર્ષ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી…

12 hours ago

અમેરિકાના સાક્રામેન્ટોમાં ભારતીય મૂળની મહિલાની ગોળી મારી હત્યા; આરોપી કારમાંથી મૃત મળી આવ્યો

Sacramento Stalking Murder | અમેરિકાના કેલિફોર્નિયા (California) ના સાક્રામેન્ટો કાઉન્ટીમાં (Sacramento County) મહિનાઓ સુધી ચાલુ…

23 hours ago

કેનેડા કોર્ટે 3 ભારતીયોનો વિઝિટર વિઝા રિજેક્શનનો નિર્ણય રદ કર્યો: ઈમિગ્રેશન ઓફિસરના નિર્ણયને ગણાવ્યો ‘અયોગ્ય’

Canada Visitor Visa | કેનેડાની ફેડરલ કોર્ટે 3 ભારતીય અરજદારોની ટૂરિસ્ટ વિઝા અરજી ફગાવી દેવાના…

23 hours ago

‘ધ ઈન્ડિયન કાઉબોય’ બોબી કેશના જીવન પર બનશે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ફીચર ફિલ્મ

Bobby Cash Movie | નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન હાઈકમિશનર (Australian High Commission) દ્વારા યોજાયેલા એક ખાસ…

24 hours ago

‘ઑસ્ટ્રેલિયામાં નો સર, નો મેડમ’: ભારતીય યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા પોતાના અનુભવો

Australia Life Experience | ઓસ્ટ્રેલિયા (Australia) માં રહેતી એક ભારતીય મહિલા દીશા શાહે (Disha Shah)…

24 hours ago