Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

Video : ‘ઓપરેશન મહાદેવ’માં પહેલગામ હુમલાના 3 આતંકી ઠાર માર્યા’:  અમિત શાહ

Chief Editor July 29, 2025
All 3 Pahalgam attackers killed in Operation Mahadev Amit Shah

All 3 Pahalgam attackers killed in Operation Mahadev Amit Shah

પહેલગામ હુમલા (Pahalgam attackers)ને અંજામ આપનારા ત્રણ આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રી (Home minister) અમિત શાહે (Amit Shah) મંગળવારે લોકસભામાં કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ‘ઓપરેશન મહાદેવ’ (Operation Mahadev) એ આતંકવાદીઓને તેમના અંજામ સુધી પહોંચાડ્યા. સંસદમાં શાહે જણાવ્યું કે સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે ‘ઓપરેશન મહાદેવ’ દ્વારા ત્રણ આતંકવાદીઓને માર્યા છે, જેમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જીબ્રાનનો સમાવેશ થાય છે.

ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે સુલેમાન લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો, જે ગગનગીર આતંકવાદી હુમલામાં સામેલ હતો. તેના બધા પુરાવા એજન્સીઓ પાસે છે. આતંકવાદી અફઘાન અને જીબ્રાન, લશ્કરના ‘એ’ શ્રેણીના આતંકવાદી હતા. અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું કે ત્રણેય આતંકવાદીઓ બૈસરન ઘાટી હુમલામાં સામેલ હતા.

‘ઓપરેશન મહાદેવ’નું વિસ્તૃત વર્ણન
અમિત શાહે જણાવ્યું કે, પહેલગામ હુમલા પછી 23 એપ્રિલે એક સુરક્ષા મીટિંગ કરવામાં આવી. સૌથી પહેલા નિર્ણય લેવામાં આવ્યો કે આતંકવાદીઓ દેશ છોડીને પાકિસ્તાન ભાગી ન શકે. આની સંપૂર્ણ પાકી વ્યવસ્થા કરવામાં આવી અને આતંકવાદીઓને ભાગવા દીધા નહીં. 22 મેના રોજ IB પાસે માહિતી આવી હતી.

ડાચીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની જાણકારી મળી હતી. સેના અને IBએ સિગ્નલ કેપ્ચર કરીને 22 આતંકવાદીઓ વિશેની માહિતી પાકી કરી. 22 જુલાઈએ સેન્સર દ્વારા આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ થઈ. સેનાના 4 પેરાના જવાન, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ એકસાથે આતંકવાદીઓને ઘેરવાનું કામ કર્યું. સોમવારે ઓપરેશન થયું, તેમાં પહેલગામ હુમલાના ત્રણેય આતંકવાદીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.

ફોરેન્સિક પુરાવા અને પુષ્ટિ
અમિત શાહે લોકસભામાં જાણકારી આપી છે કે પહેલગામ હુમલા દરમિયાન મળેલા કારતૂસના ખોખા અને આતંકવાદીઓની રાઇફલના ખોખાનું મેચિંગ થયું છે. આતંકવાદીઓ પાસેથી એક M-9 અમેરિકન અને બે AK-47 રાઇફલ જપ્ત કરવામાં આવી હતી. ગૃહ મંત્રીએ લોકસભામાં જાણકારી આપી કે ચંદીગઢ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના રિપોર્ટમાં કારતૂસનું મેચિંગ થયું છે. 6 વૈજ્ઞાનિકોએ ક્રોસ ચેક કર્યું છે. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે આ તે જ ગોળીઓ છે જે પહેલગામમાં ચલાવવામાં આવી હતી.


About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Amit Shah (અમિત શાહ) Operation Mahadev (ઓપરેશન મહાદેવ) Pahalgam Attack (પહેલગામ હુમલો)

Post navigation

Previous: Matsya 6000: ભારતમાં બનેલી એ સબમરીન જે માણસને દરિયામાં 6000 ફૂટ નીચે લઈ જઈ શકશે, જાણો એની ખાસ વાતો
Next: પીએમ મોદીના લોકસભાના ભાષણની  હાઇલાઇટ્સ: ઓપરેશન સિંદૂર પર વડા પ્રધાનના ભાષણમાંથી 10 મુખ્ય મુદ્દાઓ
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.