Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ચતુર્થ પદવીદાન સમારોહ યોજાયો: ૩૧૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

H S March 20, 2023
20 a11

:: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ::

 શિક્ષણનો ઉદ્દેશ માત્ર કારકિર્દી જ ઘડવાનો નહિ, પરંતુ સંપૂર્ણ માનવી બનવાનો છે.
 નવી શિક્ષણ નીતિ-૨૦૨૦માં આજના યુવાનને ‘ગ્લોબલ સિટિઝન’ બનાવવાની
વિભાવના છે.
 તબીબી અને તકનિકી શિક્ષણ પણ માતૃભાષામાં આપવું જોઈએ.
 વર્ષ ૨૦૧૪માં દેશમાં માત્ર ચાર જ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ હતાં, જે આજે વધીને ૧૦૭
થયાં.
 દેશના ૪૪ ટકા સ્ટાર્ટઅપ્સની મહિલાઓ દ્વારા તેમજ ૪૫ ટકા સ્ટાર્ટઅપ્સની નાના
શહેરોમાંથી શરૂઆત થઈ છે.

આજે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી
શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ચતુર્થ પદવીદાન
સમારોહ યોજાયો હતો, જેમાં ૩૧૮ વિદ્યાર્થીઓને કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે પદવી એનાયત
કરવામાં આવી હતી. આ સમારોહમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ,
શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર તથા સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી
ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.


કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દીક્ષાર્થીઓને આહવાન કરતાં કહ્યું
કે, ‘મારા માટે ભારત સર્વપ્રથમ અને વિશ્વમાં ભારત સર્વપ્રથમ’ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ
કરજો. દીક્ષાર્થીઓની વર્ષ ૨૦૨૨ની આ બેચ અમૃત મહોત્સવની બેચ તરીકે ઓળખાશે, જે
આઝાદીના અમૃતકાળ દરમિયાન આવનારા ૨૫ વર્ષોમાં વ્યક્તિગત વિકાસની સાથે સાથે
સમાજ-રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપશે. દેશે આઝાદીથી ૭૫ વર્ષ સુધીમાં ઘણી સિદ્ધિઓ
હાંસલ કરી છે. નાગરિકો આઝાદી પ્રાપ્તિ પાછળના સંઘર્ષને જાણે અને તેની પાછળના
ઉપદેશને સમજે તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વર્ષને આઝાદીના અમૃત
મહોત્સવ અને આવનારા ૨૫ વર્ષોને અમૃતકાળ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.


મંત્રી શ્રી શાહે નવી શિક્ષણ નીતિ વિશે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ-૨૦૨૦માં
આજના યુવાનને ‘ગ્લોબલ સિટિઝન’ બનાવવાની વિભાવના રહેલી છે તથા આ નીતિમાં
એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ પર વધુ ભાર મૂકાયો છે, જે ભારતના યુવાનને વિશ્વના કોઈપણ મંચ
પર ઊભો રહેવા સક્ષમ બનાવશે. અગાઉની શિક્ષણ નીતિઓ વિવાદોમાં ઘેરાયેલી રહી હતી,
પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલ નવી શિક્ષણ નીતિ-
૨૦૨૦નો વિના વિરોધે સમગ્ર દેશે સહર્ષ સ્વીકાર કરી અમલ શરૂ કર્યો છે. વ્યક્તિ પોતાના
વિચારોને માતૃભાષા થકી જ સરળતાથી નિર્ણય સુધી પહોંચાડે છે, આથી નવી શિક્ષણ નીતિમાં
માતૃભાષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તબીબી અને તકનિકી શિક્ષણ પણ

માતૃભાષામાં આપવું જોઈએ તથા જરૂર પડ્યે માતૃભાષાના શબ્દકોષને પણ વિસ્તૃત કરવો
જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી શ્રી શાહે સ્ટાર્ટઅપ્સ અંગે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં દેશમાં માત્ર ૭૨૪ જેટલા
સ્ટાર્ટઅપ્સ હતાં, જે આજે ૭૦ હજારથી પણ વધારે છે. આ ઉપરાંત દેશમાં વર્ષ ૨૦૧૪માં માત્ર
ચાર જ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ હતાં, જે આજે વધીને ૧૦૭ થયાં છે. આ ઉપરાંત દેશના કુલ
સ્ટાર્ટઅપ્સમાંથી ૪૪ ટકા સ્ટાર્ટઅપ્સ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ ૪૫ ટકા
સ્ટાર્ટઅપ્સ ટિયર-૨ અને ટિયર-૩ જેવા નાના શહેરોમાંથી શરૂ થયાં છે. જે રાષ્ટ્રની ઈનોવેશન
ક્ષમતા અને સરકારની વિકાસના દરેક તબક્કે મદદની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વર્ષ ૨૦૧૩-
૧૪માં માત્ર ૩,૦૦૦ જેટલી પેટન્ટ માટે અરજીઓ આવતી હતી, જેમાંથી માત્ર ૨૧૧ જ મંજૂર
કરવામાં આવતી હતી. જ્યારે આજે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧.૫૦ લાખથી વધુ અરજીઓ પ્રાપ્ત
થાય છે, જેમાંથી ૨૪ હજાર મંજૂર કરવામાં આવી છે, જે પૈકી ૨૩,૭૦૦ જેટલી અરજીઓ તો
માત્ર વ્યક્તિગત જ છે.
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ ડૉ. હસમુખ અઢિયાએ દીક્ષાંત ઉપદેશમાં
કહ્યું હતું કે, આ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ ‘સારસ્વત ફેસ્ટિવલ’ છે, અહીં વિદ્યાર્થીઓને
પોતાની વ્યક્તિગત સિદ્ધિઓ બદલ સન્માનિત કરવાની સાથે સાથે સમાજ અને રાષ્ટ્રની
જવાબદારીથી જાગૃત કરવામાં આવે છે.  
 આ દીક્ષાંત સમારોહમાં ૩૭ પીએચ.ડી., ૧૮ એમ.ફિલ., ૨૨૪ અનુસ્નાતક અને ૩૯
સ્નાતક એમ કુલ ૩૧૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્નાતક
અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર ૨૨ વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક
પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. તેમજ ગુજરાતીમાં એમ.એ.માં પ્રથમ આવનાર વિદ્યાર્થીને
કવિ શ્રી પિનાકીન ઠાકોર સુવર્ણચંદ્રક અને અર્થશાસ્ત્રમાં શ્રીમતી  વિદ્યાદેવી અગ્રવાલ સુવર્ણચંદ્રક
એનાયત કરાયા હતા.
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી પ્રો. રમા શંકર દુબેએ સ્વાગત પ્રવચન
કરતા કહ્યું કે, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સ્થાયી પરિસરનો શિલાન્યાસ વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. હાલ વડોદરા પાસે કુંઢેલા ગામે ૧૦૦ એકર

જગ્યામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ પરિસરનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે છે, જ્યાં
આગામી શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.  
આ કાર્યક્રમમાં ધારાસભ્યો, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રાર શ્રી એચ. બી.
પટેલ, દીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ તથા વિશ્વવિદ્યાલયના અધ્યાપકો-કર્મચારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.




About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે સહિત માર્ગ વિકાસના અન્ય પ્રોજેક્ટ્સ ના સુચારૂ અમલીકરણ માટે દિશા નિર્દેશો આપ્યા 
Next: કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આગામી ૧૭ થી ૨૬ એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.