Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સુરત: પાટીદાર આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓ નિર્દોષ જાહેર

Chief Editor June 23, 2026
Patidar Andolan Cases

Patidar Andolan Cases | પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતમાં નોંધાયેલા કેસો પરત ખેંચવાની દિશામાં ન્યાયતંત્ર તરફથી મહત્ત્વના સમાચાર આવ્યા છે. વર્ષ 2018માં આંદોલન સમયે વરાછા પોલીસ મથકમાં ટ્રાફિક જામ અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવાના મુદ્દે નોંધાયેલા 2 કેસ પરત ખેંચવાની મંજૂરી કોર્ટે આપી દીધી છે.

સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીતેન્દ્રસિંહે સરકારની ‘કેસ વિથડ્રો’ કરવાની અરજી ગ્રાહ્ય રાખીને તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

વર્ષ 2018માં જેલમાંથી મુક્ત થયેલા કાર્યકરોના સ્વાગત માટે ‘પાસ’ (PAAS)ના અગ્રણીઓ વાહનો અને બાઇક રેલી સાથે નીકળ્યા હતા. આ રેલી દરમિયાન જાહેર રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. જે બદલ પોલીસે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને કોંગ્રેસ અગ્રણી અશોક જીરાવાલા સહિત 150 થી 200 કાર્યકરો સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ કેસ જાહેર હિતમાં પરત ખેંચવા માટે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર (APP) દિગંત તેવારે BNSSની કલમ-360 તથા CrPCની કલમ-321 હેઠળ કોર્ટમાં અરજી કરી હતી.

કોર્ટે રેકોર્ડ પરના પુરાવા ધ્યાને લઈ, આરોપીઓનો કોઈ ગુનાઇત ઇરાદો ન હોવાનું નોંધીને બંને કેસો પરત ખેંચવાની મંજૂરી આપી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Alpesh kathiriya (અલ્પેશ કથીરિયા) Congress (કોંગ્રેસ) Dharmik Malaviya (ધાર્મિક માલવિયા) Hardik Patel (હાર્દિક પટેલ) Patidar Andolan (પાટીદાર આંદોલન) Surat (સુરત)

Post navigation

Previous: વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ દ્વારા પ્રથમ કાર્યક્રમ
Next: નોકરી બદલ્યા પછી પીએફ ખાતું આપમેળે મર્જ નથી થતું, આ રીતે કરો ઓનલાઈન ટ્રાન્સફર
Follow

Recent Posts

  • Vastu Tips: ઘરમાં આ 4 વાસ્તુ સુધારા કરવાથી ચમકી જશે કિસ્મત, વધશે ધનની આવક
  • ભારતમાં અલ નીનો અને ઇથેનોલના કારણે ખાંડનું સંકટ! નિકાસ બંધ થવાની ભીતિ
  • ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી
  • નોકરી બદલ્યા પછી પીએફ ખાતું આપમેળે મર્જ નથી થતું, આ રીતે કરો ઓનલાઈન ટ્રાન્સફર
  • સુરત: પાટીદાર આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓ નિર્દોષ જાહેર
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.