Dholera Rail Project | પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિ (CCEA) દ્વારા અમદાવાદ (સરખેજ) થી ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટ (Railway Project) ને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
આશરે 20667 કરોડ રૂપિયાના જંગી ખર્ચે આકાર પામનારો આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેનો પ્રથમ સંપૂર્ણ સ્વદેશી (Indigenous) ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે. આ ઐતિહાસિક નિર્ણયથી દેશના પરિવહન ક્ષેત્રે એક અદ્ભુત ક્રાંતિ આવશે અને વિકાસના નવા દ્વાર ખુલશે.
આ નવી રેલવે લાઇન આશરે 134 કિલોમીટર લાંબી હશે, જે અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR), નિર્માણધીન ધોલેરા એરપોર્ટ (Airport) અને લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને અત્યાધુનિક રેલ કનેક્ટિવિટી (Connectivity) થી મજબૂત રીતે જોડશે.
પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ અમદાવાદ અને ધોલેરા વચ્ચેનું મુસાફરી અંતર માત્ર 1 કલાકથી પણ ઓછા સમયમાં કાપી શકાશે, જેનાથી બંને શહેરો વચ્ચે મુસાફરો માટે દૈનિક અપ-ડાઉન કરવું ખૂબ જ સરળ અને આરામદાયક બનશે.
રેલવે મંત્રી (Railway Minister) અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) જણાવ્યું કે આ પ્રોજેક્ટ ‘ન્યૂ ઈન્ડિયા’ ની આધુનિક અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું અજોડ પ્રતિક છે જે ભવિષ્યમાં નેટવર્ક વિસ્તરણનો આધાર બનશે.
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશે ઉમેર્યું કે આ પ્રોજેક્ટથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, રોજગાર અને લોજિસ્ટિક્સ (Logistics) ક્ષેત્રને મોટો વેગ મળશે અને ધોલેરા સીધું અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર સાથે કનેક્ટ થઈ જશે.
પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન (Master Plan) હેઠળ નિર્મિત આ પ્રોજેક્ટથી 284 ગામો અને લગભગ 5 લાખ લોકોને સીધો મોટો ફાયદો થશે.
આ ઉપરાંત, પર્યાવરણ સુરક્ષાની દ્રષ્ટિએ આનાથી 0.48 કરોડ લિટર ઇંધણની બચત થશે અને 2 કરોડ કિલોગ્રામ CO2 ઉત્સર્જન ઘટશે, જે 10 લાખ વૃક્ષો વાવવા સમાન મોટો પર્યાવરણીય લાભ છે. આ મહત્વકાંક્ષી રેલ પ્રોજેક્ટને વર્ષ 2030-31 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
