India-US Trade Agreement: ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાની વેપાર સમજૂતી (Interim Trade Agreement) માટેના માળખાએ કૃષિ ક્ષેત્રને કેન્દ્રસ્થાને લાવી દીધું છે. એક તરફ વોશિંગ્ટન અમેરિકન કૃષિ પેદાશો માટે ભારતીય બજારના દરવાજા ખુલવાની અપેક્ષા રાખી રહ્યું છે, તો બીજી તરફ નવી દિલ્હી ભારતીય ખેડૂતોના હિતો સુરક્ષિત હોવાનો દાવો કરી રહ્યું છે.
અમેરિકાનો દ્રષ્ટિકોણ: નવા બજારની શોધ
યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) મુજબ, આ ડીલથી અમેરિકન ખેડૂતોને વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંના એક એવા ભારતમાં વધુ એક્સેસ (Market Access) મળશે. અમેરિકાના મતે ભારત તમામ ઔદ્યોગિક માલસામાન અને અનેક કૃષિ ઉત્પાદનો પર ટેરિફ (Tariffs) ઘટાડવા સંમત થયું છે.
The interests of our farmers remain paramount in all trade negotiations. The Modi Government remains fully committed to protecting our Annadatas and securing rural livelihoods.
No concessions have been extended to sensitive agricultural sector produce in grains, fruits,… pic.twitter.com/6QiohiyKL5
— Piyush Goyal (@PiyushGoyal) February 7, 2026
અમેરિકા આ વસ્તુઓ ભારત મોકલશે:
ટ્રી નટ્સ (Tree nuts) અને ડ્રાય ફ્રૂટ્સ.
રેડ સોર્ઘમ (Red sorghum) અને સોયાબીન ઓઈલ.
ફ્રેશ અને પ્રોસેસ્ડ ફ્રૂટ (Processed fruit).
વાઈન (Wine) અને સ્પિરિટ્સ.
અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે આ સમજૂતીને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની ડીલમેકિંગ ક્ષમતાથી અમેરિકન કામદારો માટે ભારત જેવી મોટી અર્થવ્યવસ્થાના દ્વાર ખુલ્યા છે.
ભારતનું વલણ: ખેડૂતોનું રક્ષણ સર્વોપરી
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) ભારતીય ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું છે કે, સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોને આ ડીલથી સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
આ ઉત્પાદનોને સુરક્ષિત (Protected) રખાયા છે:
ડેરી ઉત્પાદનો: દૂધ, માખણ, ઘી અને ચીઝ.
અનાજ: ઘઉં, ચોખા, બાજરી અને મકાઈ.
અન્ય: વિવિધ મસાલા અને ફ્રોઝન શાકભાજી.
પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું, “ખેડૂત સુરક્ષિત, દેશ વિકસિત.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સમજૂતી આત્મનિર્ભર ભારત (Self-reliant India) તરફનું એક મહત્વનું પગલું છે અને તે સ્થાનિક ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડ્યા વગર કૃષિ નિકાસને પ્રોત્સાહન આપશે.
સંતુલન જાળવવાનો પડકાર
જોકે, વિગતો સૂચવે છે કે પશુ આહાર માટે લાલ જુવાર (Red sorghum) અને સોયાબીન તેલ જેવા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે જ્યારે આ વચગાળાની સમજૂતી વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર (Bilateral Trade Agreement) માં પરિવર્તિત થશે, ત્યારે ભારતીય ખેડૂતો કેટલા અંશે સુરક્ષિત રહી શકશે.
