યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ મંડળની 03 જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે અતિરિક્ત કોચ જોડવામાં આવશે
યાત્રીઓની વધતી ભીડ તથા યાત્રા માંગને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવેએ નીચે જણાવેલી ટ્રેનોમાં અસ્થાયી રૂપે અતિરિક્ત કોચ જોડવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે :
ટ્રેન નંબર 20485/20486 સાબરમતી-જેસલમેર-સાબરમતી ઈન્ટરસિટી એક્સપ્રેસમાં 02 એસી 3-ટિયર અને 01 સ્લીપર કોચ સાબરમતીથી 03 જુલાઈ, 2026 થી 02 ઓગસ્ટ, 2026 સુધી તથા જેસલમેરથી 01 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી અસ્થાયી રૂપે જોડવામાં આવશે.
ટ્રેન નંબર 20492/20491 સાબરમતી-જેસલમેર-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 02 એસી 3-ટિયર અને 01 સ્લીપર કોચ સાબરમતીથી 01 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી તથા જેસલમેરથી 02 જુલાઈ, 2026 થી 01 ઓગસ્ટ, 2026 સુધી અસ્થાયી રૂપે જોડવામાં આવશે.
ટ્રેન નંબર 20987/20988 ઉદયપુર સિટી-અસારવા-ઉદયપુર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 01 સેકન્ડ સીટિંગ કોચ અસારવાથી 02 જુલાઈ, 2026 થી 01 ઓગસ્ટ, 2026 સુધી તથા ઉદયપુર સિટીથી 01 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી અસ્થાયી રૂપે જોડવામાં આવશે.
યાત્રીઓને જણાવવામાં આવે છે કે તેઓ યાત્રાથી પહેલાં ટ્રેનના સમય, હોલ્ટ અને અન્ય વિગતોની માહિતી માટે www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.
Modi Trump Bond | ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gor) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને…
Indian Foreign Trade | વર્તમાન સમયમાં 'Resilience' એટલે કે સ્થિતિસ્થાપકતા એ કોઈપણ દેશની આર્થિક કરોડરજ્જુ…
IITE જેવી સંસ્થાઓ થકી ભારત રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપીને વૈશ્વિક કક્ષાએ મહત્વની ભૂમિકા ભજવશે: શિક્ષણ…
India Africa Food Security |આફ્રિકન યુનિયન (African Union) ના જી20 (G20) માં ઐતિહાસિક પ્રવેશ બાદ,…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની યુક્રેનના ભારત સ્થિત ,રાજદૂત ડૉ. ઓલેક્સાન્ડર પોલિશ્ચુક સાથે વન ટુ વન બેઠક…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ શ્રી પેટ્રિક ડફી સાથે ફળદાયી બેઠક યોજી…