Religious

“સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથ

“જય શ્રીરામ”ના ગુંજતા નાદ વચ્ચે…
ભગવાન શ્રીરામના આદર્શો, કરુણા, શૌર્ય અને સંસ્કારમય જીવનમૂલ્યોને સમાજજીવન સુધી પહોંચાડવાના પવિત્ર સંકલ્પ સાથે લેખિકા જાગૃતિ રામાનુજ અને ચિત્રકાર વી. રામાનુજ દ્વારા સર્જાયેલ તથા હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન (HSSF), ગુજરાત દ્વારા પ્રકાશિત “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથના હિન્દી, અંગ્રેજી તથા દ્વિતીય ગુજરાતી સંસ્કરણના ભવ્ય વિમોચનનો ઐતિહાસિક પ્રસંગ અદભુત ભાવભક્તિ વચ્ચે તા. ૫/૫/૨૦૨૬ મંગળવારના રોજ J B Auditorium, Ahmedabad ખાતે સંપન્ન થયો।
શ્રીરામના ચોસઠ દિવ્ય ગુણોને ઉજાગર કરતું આ ગ્રંથ માત્ર પુસ્તક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને જીવનદર્શનનું જીવંત પ્રતિબિંબ છે। વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રામભક્તોના “જય શ્રીરામ”ના ગુંજતા નાદ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રાષ્ટ્રચેતનાથી ઓતપ્રોત બન્યું।
આ પાવન અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત વી. રામાનુજ દ્વારા તૈયાર કરાયેલા વિશિષ્ટ પેન્સિલ સ્કેચ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ રામાનુજે ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમ્નજી વાજાને તથા HSSFના પ્રાંત અધ્યક્ષ શ્રી તુલસીરામ ટેકવાણીજીને, ધૈવત રામાનુજે પરમ પૂજ્ય પરમાત્માનંદજીને, ધારા રામાનુજે RSSના વરિષ્ઠ પ્રચારક તથા HSSFના રાષ્ટ્રીય સંયોજક શ્રી ગુણવંતસિંહજીને, વી. રામાનુજે પૂર્વ રાજ્યસભા સાંસદ તથા પાવાગઢ મંદિરના અધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકાને તેમજ સંજીવની રામાનુજે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાને વી. રામાનુજ દ્વારા તૈયાર કરાયેલા પેન્સિલ સ્કેચ અર્પણ કરી ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું।
આ કાર્યક્રમમાં “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથના ઉત્કૃષ્ટ સર્જન માટે ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમ્નજી વાજા દ્વારા જાગૃતિ રામાનુજ અને વી. રામાનુજનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું।
આ કાર્યક્રમ માત્ર વિમોચન સમારોહ નહીં, પરંતુ “રામત્વને જીવનમાં ઉતારવાનો સંકલ્પોત્સવ” બની રહ્યો।
આ ભવ્ય અને દિવ્ય આયોજનને સફળ બનાવનાર તમામ સંતો, મહાનુભાવો, આયોજકો અને રામભક્તો પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ।
Chief Editor

Recent Posts

માતૃભૂમિનો મોહ: અંતિમ શ્વાસ ભારતમાં લેવા માટે 94 વર્ષના વૃદ્ધાએ અમેરિકાની નાગરિકતા છોડી

Indian Citizenship | ઇન્સાન દુનિયાના ગમે તે ખૂણે કેમ ન પહોંચી જાય, પરંતુ પોતાની જન્મભૂમિ…

2 hours ago

હોર્મુઝનો નવો વિકલ્પ: ઓમાનમાં 100 અબજ ડૉલરનો નહેર પ્રોજેક્ટ, દિવાસ્વપ્ન કે માસ્ટરસ્ટ્રોક?

વૈશ્વિક અર્થતંત્રની રક્તવાહિની બદલવાનો જંગ: 100 અબજ ડૉલરનું દિવાસ્વપ્ન કે નવો ભૂ-રાજકીય માસ્ટરસ્ટ્રોક? સ્ટ્રેટ ઓફ…

3 hours ago

અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત કૌભાંડ મામલે FIR દાખલ, 2 મુખ્ય આરોપીઓની ધરપકડ

Ram Mandir FIR | અયોધ્યા (Ayodhya) સ્થિત રામ મંદિરના ચઢાવામાં કથિત કૌભાંડના મામલે ગુરુવારે એફઆઈઆર…

4 hours ago

સરકારે કોમર્શિયલ LPG સપ્લાય પરના પ્રતિબંધો હટાવ્યા, ઉદ્યોગો અને કોમર્શિયલ ગ્રાહકોને મોટી રાહત

Commercial LPG Supply | પશ્ચિમ એશિયા (West Asia) ના સંકટના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના…

4 hours ago

TMKOC: જેઠાલાલ અને બાપુજીમાંથી રિયલ લાઇફમાં કોણ છે મોટું? જાણો બંનેની સાચી ઉંમર

Jethalal Bapuji Age | ટીવી (TV) ના મોસ્ટ પોપ્યુલર શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'…

4 hours ago