Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે મહેસાણા રેલવે સ્ટેશન પર રક્તદાન શિબિરનું આયોજન

Chief Editor June 13, 2026
13-6 R2

મહેસાણા રેલવે સ્ટાફના ‘રેલવે સેવાર્થ ગ્રુપ’

 

Join Our WhatsApp Group

‘વિશ્વ રક્તદાન દિવસ’ના અવસરે આજે મહેસાણા રેલવે સ્ટેશન ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સરાહનીય પહેલ મહેસાણા રેલવે સ્ટાફના ‘રેલવે સેવાર્થ ગ્રુપ’ દ્વારા કરવામાં આવી હતી, જેમાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ તથા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO),અમદાવાદની અધ્યક્ષા શ્રીમતી શેફાલી ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

‘રેલવે સેવાર્થ ગ્રુપ’ના આ સેવાકાર્યમાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ સામાજિક જવાબદારી નિભાવી કુલ 101 યુનિટ રક્ત એકત્રિત કર્યું.

મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે તમામ રક્તદાતાઓને આ જીવનદાયી યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા અને ‘રેલવે સેવાર્થ ગ્રુપ’ની સેવાભાવનાની પ્રશંસા કરી. તેમણે ભવિષ્યમાં પણ આવા સામાજિક કાર્યોને આગળ વધારવાની પ્રેરણા આપી અને રક્તદાનને માનવસેવાનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવી દરેક સ્વસ્થ વ્યક્તિને નિયમિત રક્તદાન કરવા અપીલ કરી.

 

WRWWOની અધ્યક્ષા શ્રીમતી શેફાલી ગુપ્તાએ કાર્યક્રમના ઉત્તમ આયોજનની પ્રશંસા કરી. તેમણે મહત્વપૂર્ણ સૂચન કરતાં જણાવ્યું કે અમદાવાદ ડિવિઝનમાં રેલવેનું પોતાનું સમર્પિત ‘બ્લડ બેંક’ હોવું જોઈએ, જેથી આપત્તિકાળની સ્થિતિમાં રેલવે કર્મચારીઓ તથા સામાન્ય નાગરિકોને તાત્કાલિક મદદ મળી શકે.

સમારોહ દરમિયાન રક્તદાતાઓના યોગદાનની પ્રશંસા સાથે સહાયક વાણિજ્ય પ્રબંધક-FM અને સહાયક મંડળ સિગ્નલ અને દૂરસંચાર ઇજનેર, મહેસાણાને તેમના ઉત્કૃષ્ટ સહકાર બદલ મુખ્ય અતિથિઓના હસ્તે સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.

રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા મંડળના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વરિષ્ઠ મંડળ સિગ્નલ અને દૂરસંચાર ઇંજિનિયર, વરિષ્ઠ મંડળ ઇલેક્ટ્રિકલ ઇંજિનિયર-TRD, વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇંજિનિયર-G, મંડળ ઇંજિનિયર-નોર્થ તથા સહાયક વાણિજ્ય પ્રબંધક-FM ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: ઈરાન અને કતારની આ ડીલ જો થઈ હોત તો દુનિયાભરમાં મચી જાત હાહાકાર! પરંતુ તેહરાન ન માન્યું
Next: અસારવા–જયપુર એક્સપ્રેસનો ખાતીપુરા સુધી વિસ્તૃત
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.