Gujarat Development

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી

અમદાવાદ એરપોર્ટ પર જનપ્રતિનિધિઓ અને જનપ્રતિનિધિ મંડળ સાથે બેઠકમાં શહેર અને રેલવેથી જોડાયેલા પાંચ મુખ્ય વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા માટે આપ્યા નિર્દેશ

 

કેન્દ્રીય રેલવે, સૂચના અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના અમદાવાદ આગમન પર આજે અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદ મહાનગરના જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. આ અવસર પર શહેર અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી જોડાયેલા વિવિધ વિકાસ કામો પર વિગતવાર ચર્ચા થઈ.

બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્.યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાનું કામ ઝડપી ગતિથી પ્રગતિ પર છે તથા પરિયોજનાનું લગભગ 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વર્ષ 2027 માં સૂરત-બિલિમોરા સેક્શન પર બુલેટ ટ્રેન સેવાનો પ્રથમ તબક્કો આરંભ કરવામાં આવશે, આ પછી ક્રમિક રૂપે વાપી-સૂરત, અમદાવાદ અને અંતમાં મુબઈ સુધી પરિયોજનાનું વિસ્તરણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વિશ્વસ્તરનું રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક સ્ટેશન, ઉત્તમ સડક સંપર્ક તથા અત્યાધુનિક પરિવહન સુવિધાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ પરિયોજનાઓના પૂર્ણ થવાથી યાત્રીઓની સુવિધા વધશે, શહેરી ટ્રાફિક સુગમ થશે તથા ક્ષેત્રના સમગ્ર આર્થિક અને સામાજિક વિકાસને નવી ગતિ મળશે.

 

બેઠક ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ કહ્યું કે આજે ભારતના સેમીકન્ડક્ટર નિર્માણ ક્ષેત્ર માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે સાણંદમાં દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન કરશે. આ પહેલાં વડાપ્રધાન દ્વારા 28 ફેબ્રુઆરી અને 31 માર્ચના રોજ સાણંદમાં બે અન્ય સેમીકન્ડક્ટર પરિયોજનાઓનું શુભારંભ કરી દેવામાં આવ્યું છે.

બેઠક દરમિયાન અમદાવાદ શહેર અને રેલવેથી જોડાયેલા નીચે જણાવેલા પાંચ મુખ્ય વિકાસ કામો પર નિર્ણય લેવામાં આવ્યા —

1. ઓમનગર અંડરપાસ (ROB) કામમાં ઝડપ
કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે ઓમનગર અંડરપાસનું બાકી કામ આગામી નવરાત્રી મહોત્સવ પહેલાં કોઈપણ રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી નાગરિકોને ઝડપી અવરજવર સુવિધા ઉપલબ્ધ થઈ શકે.

2. અસારવા સ્ટેશન અને ટર્મિનલનો સર્વગ્રાહી પુનઃવિકાસ

અસારવા ક્ષેત્રના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ધ્યાનમાં રાખતાં અસારવા સ્ટેશન માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આના હેઠળ નવી સ્ટેશન બિલ્ડીંગ, આધુનિક યાત્રી સુવિધાઓ તથા ડીઆરએમ ઓફિસ સહિત આસપાસના રેલવે ક્ષેત્રનો સર્વાગીં વિકાસ કરીને આને એક આધુનિક અને સુવ્યવસ્થિત ટર્મિનલ રૂપે વિકસિત કરવામાં આવશે.

3. અમદાવાદ સ્ટેશન પર સારંગપુર તરફ દ્વિતીય પ્રવેશ દ્વાર
અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ હેઠળ સારંગપુર દિશામાં બીજા પ્રવેશ દ્વાર અને રોડ સંપર્કના વિકાસ પર પણ સહમતી થઈ. આનાથી યાત્રીઓને સ્ટેશન સુધી ઉત્તમ અને સુગમ પહોંચ ઉપલબ્ધ થશે તથા આસપાસના ક્ષેત્રનો યોગ્ય વિકાસ સંભવ થશે.

4. શાહપુર-અમદાવાદ ફ્લાયઓવર પરિયોજના
શાહપુર-અમદાવાદ ફ્લાયઓવરના બાંધકામના સંબંધમાં ભારતીય પુરાતત્વ અને રાષ્ટ્રીય સ્મારક સંરક્ષણથી જોડાયેલા વિષયો પર જરૂરી સંકલન સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રીઓ જણાવ્યું કે આ સંબંધમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે તથા તમામ જરૂરી પરવાનગીઓ મેળવીને પરિયોજનાને આગળ વધારવામાં આવશે.

5. સાબરમતી સ્ટેશન રોડનું વિસ્તરણ
સાબરમતી રેલવે સ્ટેશનને વધુ સારી રોડ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે સ્ટેશન રોડના વિસ્તરણ અને એકંદર વિકાસ માટે સંયુક્ત કાર્ય યોજના વિકસાવવા માટે એક કરાર થયો હતો. આનાથી યાત્રીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે પરિવહન સુવિધાઓમાં સુધારો થશે.

આ બેઠકમાં અમદાવાદ મહાનગર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, મહામંત્રી શ્રી દર્શક ઠાકરે, શ્રી ગૌતમભાઈ કથીરિયા, શ્રી ઉમંગભાઈ નાયક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ નેતા શ્રી જશુભાઈ ઠાકોર, મુખ્ય દંડક શ્રી અતુલભાઈ મિશ્રા અને કાઉન્સિલર શ્રી સન્ની ખાનચંદાની સહિત અન્ય જનપ્રતિનિધિઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Chief Editor

Recent Posts

ન્યૂયોર્કમાં ભારતીય નાગરિક ગુરદીપ સિંહની ગોળી મારીને હત્યા: ભારતીય કોન્સ્યુલેટે ચિંતા વ્યક્ત કરી

Gurdeep Singh NYC Shooting | અમેરિકાના (America) ન્યૂયોર્ક (New York) શહેરમાં ભારતીય નાગરિકો પર થઈ રહેલા…

8 hours ago

ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો: દિલ્હી-NCR સહિત દેશભરમાં બજેટ ખોરવાયું

Onion Price Hike | દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત દેશના વિવિધ ભાગોમાં મોંઘવારીનો વધુ એક મોટો ફટકો…

8 hours ago

મહારાષ્ટ્ર સંભાજીનગરની ઘટનામાં ઝઘડો iPhoneનો હતો કે અન્ય કોઈ કારણ?

Maharashtra Hill Tragedy | મહારાષ્ટ્રના (Maharashtra) છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar) જિલ્લાના તીસગાંવ (Tisgaon) વિસ્તારમાં આવેલી ખાવડા હિલ…

8 hours ago

ભારતની પ્રથમ 100 ટકા સ્વદેશી AK-203 ‘શેર’ રાઇફલ તૈયાર, ફાયરિંગ ટેસ્ટ સફળ

AK-203 Sher Rifle | ભારતે સંરક્ષણ ક્ષેત્રે (Defence Sector) અને ‘આત્મનિર્ભર ભારત’ (Atmanirbhar Bharat) અભિયાન અંતર્ગત…

9 hours ago

અમેરિકામાં H-1B Visa યુગનો અંત લાવવાનો સમય આવી ગયો છે: ટેક વિશ્લેષક વિવેક વાધવા

ભારતીય-અમેરિકન ટેક્નોલોજી ઉદ્યોગસાહસિક, શૈક્ષણિક અને જાણીતા ઇમિગ્રેશન સંશોધક વિવેક વાધવા (Vivek Wadhwa) એ યુનાઇટેડ સ્ટેટ્સ…

11 hours ago

અમદાવાદમાં તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી

* વિકસિત ભારતના નિર્માણમાં અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભૂમિકા પર નિષ્ણાતોનું મંથન ** અંતરિક્ષ ક્ષેત્રમાં…

1 day ago