શહેરી વિકાસ રાજયમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા જગન્નાથ મંદિર ખાતે ભવ્ય ‘મહાઆરતી’માં સહભાગી થયા

****
*વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ‘વિકસિત ગુજરાત @૨૦૪૭’ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં રાજ્યભરમાં વિવિધ આયોજનો*
****
રાજ્યના શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થયા હતા. મંત્રીશ્રીએ જગન્નાથ મંદિરે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભવ્ય મહાઆરતીમાં શ્રદ્ધાપૂર્વક સહભાગી થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ ના વ્યાપક લક્ષ્યને સિદ્ધ કરવા માટે ‘વિકસિત ગુજરાત @૨૦૪૭’ ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં રાજ્યમાં વિવિધ આયોજનો અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈને અગ્રણીઓ, શુભેચ્છકો અને નાગરિકો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી
