અમદાવાદ (Ahmedabad) માં તાજેતરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેના કારણે બોપલ (Bopal), ગોટા (Gota), નિકોલ (Nikol) અને એસ.જી. હાઈવે (S.G. Highway) જેવા પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે.
જોકે, આશ્ચર્યની વાત એ છે કે 600 વર્ષ જૂના કોટ વિસ્તાર અને તેની પોળોમાં ધોધમાર વરસાદ (Rain) છતાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા ભાગ્યે જ જોવા મળે છે.
કોટ વિસ્તાર પ્રમાણમાં ઊંચાઈ પર વસાવવામાં આવ્યો હતો અને તેની પોળોનો કુદરતી ઢોળાવ એવો છે કે વરસાદી પાણી સરળતાથી સાબરમતી (Sabarmati) નદી તરફ વહી જાય છે. પરંપરાગત ઘરોમાં ખુલ્લા ચોક અને દુરંદેશી પૂર આયોજનને કારણે ત્યાં પાણી ટકતું નથી.
આની સામે, નવું અમદાવાદ કુદરતી નાળા, જૂના તળાવો અને નીચાણવાળા વિસ્તારોમાં વિકસ્યું છે. સતત વધતા કોંક્રિટીકરણ (Concretization) અને પેવર બ્લોક્સ (Paver Blocks) ના કારણે પાણી જમીનમાં ઉતરવાને બદલે રસ્તા પર ભરાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા છેલ્લા 10 વર્ષમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ (Storm Water Drainage) માટે ₹200 કરોડ (200 Crore) ખર્ચીને 32 પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.
હાલમાં ₹1080 કરોડના 48 નવા પ્રોજેક્ટ કાર્યરત છે અને વર્ષ 2026-27 ના બજેટમાં પૂર નિવારણ માટે ₹472.81 કરોડની જોગવાઈ કરાઈ છે. આમ છતાં, કુદરતી વહેણો બંધ થવા અને જૂની ડ્રેનેજ સિસ્ટમ (Drainage System) ના કારણે નવા વિસ્તારોમાં થોડા વરસાદમાં રસ્તાઓ તળાવ બની જાય છે.
નિષ્ણાતોના મતે, કુદરતી નાળાનું સંરક્ષણ અને રેઇનવોટર હાર્વેસ્ટિંગ (Rainwater Harvesting) ફરજિયાત બનાવવું અનિવાર્ય છે.
