Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભાષણને અદ્ભુત ગણાવ્યું

H S August 16, 2022
16 modi -amit

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભાષણને અદ્ભુત ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે દરેક ભારતીયને સ્વર્ણિમ ભારત બનાવવા માટે યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે. તેમની શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં શ્રી અમિત શાહે કહ્યું કે મોદીજીએ દરેક ભારતીયને દેશની સમૃદ્ધિ માટે દૃઢ નિશ્ચય સાથે કામ કરવા અને વિકાસને અવરોધતા પડકારો સામે એક થઈને લડવાનું આહ્વાન કર્યું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશવાસીઓને લાલ કિલ્લા પરથી ભારતના વિકાસ, ગુલામીના દરેક અંશમાંથી આઝાદી, વારસામાં ગૌરવ, એકતા અને અખંડિતતા અને નાગરિકોના કર્તવ્ય માટે 5 પ્રતિજ્ઞાઓ લેવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે આપણે બધાએ આગામી 25 વર્ષ સુધી સ્વતંત્રતા સેનાનીઓના સપનાનું ભારત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મહિલા સશક્તીકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણી માતૃશક્તિ જ છે જે આગામી 25 વર્ષમાં રાષ્ટ્રના ગૌરવને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેથી, ચાલો આપણે સ્ત્રીઓને અપમાનની દરેક વિકૃતિમાંથી મુક્ત કરીને તેમના સન્માનની રક્ષા કરવાનો સંકલ્પ લઈએ.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે દરેક ભારતીયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું આ પ્રેરણાદાયી ભાષણ સાંભળવું જોઈએ, જે આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી ભરેલું છે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલું આખું ભાષણ અક્ષરશઃ
Next: 15 ઓગષ્ટના વડાપ્રધાનના સંબોધનના 53 મુદ્દા
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.