મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તાઃ 19ના રોજ શુક્રવારે શ્રાવણ માસની અષ્ટમીના પવિત્ર દિવસે દ્વાદશ
જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના ભક્તિ ભાવ પૂર્વક પૂજન અર્ચન
સોમનાથ મંદિર પરિસરમાં કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવા સાથે રુદ્રી, અભિષેક અને બિલ્વપત્ર અર્પણ
કરી શિવજીની પૂજા, આરાધના કરી હતી.

સાંસદશ્રી રાજેશ ચુડાસમા,પૂર્વ ધારાસભ્યશ્રી જશાભાઈ બારડ સહિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ
તેમજ સોમનાથ ટ્રસ્ટના સચિવ અને અધિક કલેકટર શ્રી યોગેન્દ્ર દેસાઈ વગેરેએ મુખ્યમંત્રીશ્રીને મંદિર
પરિસરમાં આવકાર્યા હતા અને પૂજા અર્ચનમાં સાથે રહ્યા હતા