Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝાઝમ પ્રાથમિક શાળામાં બીએસએફ 194 બટાલિયન દ્વારા નાગરિક કાર્યવાહી (સીટીઝન એક્શન) કાર્યક્રમનું આયોજન(BSF 194 Battalion Citizen action)

H S March 26, 2023
26 pat1

*****બીએસએફના જવાનો દ્વારા ગ્રામજનોને સ્પોર્ટ્સ કીટ, વોટર બેગ અને પાણીની ટાંકીનું વિતરણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝાઝમ પ્રાથમિક શાળામાં બીએસએફ 194 બટાલીયન દ્વારા નાગરિક
કાર્યવાહી (સિટિઝન એક્શન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના ગુજરાતના
મહાનિરીક્ષક અને ઇન્સ્પેક્ટર જનરલ શ્રી રવિ ગાંધી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમની અધ્યક્ષતા ગાંધીનગરના ડીઆઈજી શ્રી ભુપેન્દ્રસિંહ, 194 કોર્પ્સ બીએસએફના સીએમઓ
(એસજી) શ્રી સિંધુજા પાંડા, મોર્નિંગ ઓફિસર સેકન્ડ ઇન કમાન્ડ શ્રી અશોકકુમાર ઝા દ્વારા કરવામાં આવી હતી.
બીએસએફ 194 કોર્પ્સ સેકન્ડ ઇન કમાન્ડ ઓફિસર શ્રી સી.બી રામ, કમાન્ડ ઓફિસર શ્રી મહેશ કનૈયાલાલ,
ડેપ્યુટી કમાન્ડન્ટ જનરલ એફજીટી દાંતીવાડા શ્રી અરુણકુમાર શર્મા ની હાજરીમાં ભવ્ય આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ઝાઝમ, ફાંગલી, દલડી, બકુત્રા, કિલાણા, મસલી જેવા વિવિધ ગામોના સરપંચો અને શાળાઓના
અધ્યાપકો અને બાળકો ભાગીદાર થયા હતા.


બીએસએફના જવાનો દ્વારા વોલીબોલ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝાઝમ, ધોકવારા, જખોત્રા
જેવી વિવિધ ગામોની શાળાઓએ ભાગ લીધો હતો.


આ તમામ ગામોની શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અને
વિવિધ ગામોના સરપંચો દ્વારા બીએસએફના જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંતે બીએસએફના જવાનોએ ગામના લોકો સાથે વાતચીત કરી નાગરિક જાગૃતિ વિશે અભિગમ કેળવવા અંગેની
માહિતી અર્પણ કરી હતી અને બીએસએફ દ્વારા ગામના લોકોને શાળાઓને વોટરબેગ સ્પોર્ટ્સ કીટ અને પાણીની ટાંકી
આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગામના લોકોએ બીએસએફના જવાનોને સહકાર આપ્યો હતો.
આ કાર્યક્રમમાં બીએસએફના જવાનો, અધિકારીઓ, ગામના સરપંચો, વિવિધ શાળાના આચાર્યો, અધ્યાપકો
અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના મનકી બાત કાર્યક્રમ ના ૯૯ માં હપ્તા નું જીવંત પ્રસારણ
સાબરકાંઠા ના ગ્રામ જનો સાથે બેસીને નિહાળતા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Next: બેંગ્લોરમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.