Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ*_ *- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી

H S April 19, 2022
19-w11

**વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સંકુલનું જામનગર ખાતે ભૂમિપૂજન કર્યું*……

*WHO ના વડા ડૉ. ટેડ્રોસ એધનોમ-મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતી*..

……….*-:વડાપ્રધાનશ્રી:-**• માનવતાની સેવાની જવાબદારી નિભાવવા માટે GCTMની સ્થાપનામાં વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારત સરકારના આયુષ મંત્રાલયની ભાગીદારી*

 *• GCTM વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બનશે**• ભારતનું જ્ઞાન GCTM ખાતે પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના વિકાસમાં મોટો ફાળો આપશે**

• કોરોનાકાળમાં હેલ્થકેર ડિલિવરી માટે નવા આયામોની આવશ્યકતા દુનિયાને સમજાઈ*…………

*-:મોરેશિયસના વડાપ્રધાનશ્રી પ્રવિન્દ જગન્નાથ :-*• દર વર્ષે ધનતેરસની ઉજવણી સમગ્ર મોરેશિયસમાં આયુર્વેદ દિવસ તરીકે કરવામાં આવે છે……*-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-*• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન રૂપે અમૃત કળશની ભેટ દેશને આપી• વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશમાં યોગ-આયુર્વેદના ભારતીય જ્ઞાન-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો પ્રાચીન વારસો આજે વૈશ્વિક આરોગ્ય સુરક્ષાના હેતુથી અલગ જ સ્વરૂપે પ્રસ્તુત થયો છે • વડાપ્રધાનશ્રીના પ્રયાસોને કારણે વિશ્વ સમુદાયમાં ભારતનો સોફ્ટ પાવર વધ્યો છે…………*:- WHO ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ :-*• GCTM પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેના આઈ.પી.આર. નિર્ધારિત કરવામાં, રિસર્ચ એન્ડ એનાલિસિસ કરવામાં, વિશ્વસનીય માહિતીના સંચય અને સંવર્ધન કરવામાં, ઈનોવેશન, ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે *……..*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો છે. આ માત્ર ભવનનો શિલાન્યાસ નથી, પરંતુ પ્રાકૃતિક-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વિશ્વાસ રાખનારા લોકો માટેના આગવા કેન્દ્રની શરૂઆત છે.

તે દુનિયાને અલ્ટરનેટ મેડિકલ સોલ્યુશન આપવામાં મદદરૂપ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.  પ્રધાનમંત્રીશ્રીએ જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ (GCTM)નું ભૂમિપૂજન મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ જગન્નાથ અને WHOના વડા ડૉ. ટેડરોસ એધનોમ ની વિશેષ ઉપસ્થિતમાં કર્યુ હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ સર્વ શ્રી સર્વાનંદ સોનોવાલ, મનસુખભાઇ માંડવીયા અને મહેન્દ્ મૂંજપરા સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ, આમંત્રિતો પણ આ ભૂમિપૂજન અવસરે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનશ્રીએ ઉમેર્યુ કે, આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપનામાં વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારત સરકારના આયુષ મંત્રાલયની ભાગીદારી માનવતાની સેવાની જવાબદારી નિભાવવા માટેની છે. આવનારા પચ્ચીસ વર્ષમાં ટ્રેડિશનલ મેડિસિન દુનિયાના દરેક પરિવારો માટે મહત્વની બની જશે.વડાપ્રધાનશ્રીએ આ તકે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સફળ ક્રિયાન્વયન માટે પાંચ લક્ષ્યો આપ્યાં હતાં, જે અંતર્ગત પ્રથમ લક્ષ્ય જણાવતા તેમણે કહ્યું કે, વિશ્વભરની ટ્રેડિશનલ મેડિસિન વિદ્યાઓનું ટેક્નોલોજીથી સંકલન કરી, એક વૈશ્વિક ડેટાબેઝ-રિપોઝેટરી બનાવવામાં આવે, જે આવનારી પેઢીને મદદરૂપ થાય.બીજા લક્ષ્ય વિશે તેમણે કહ્યું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ-દવાઓની સ્વીકૃતિ વધારી શકાય તે માટે ટ્રેડિશનલ મેડિસિનના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઘડવા આવશ્યક છે,.તેમણે ત્રીજા લક્ષ્ય અંગે કહ્યું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના તજજ્ઞો, નિષ્ણાતો માટે જી.સી.ટી.એમ. એક વૈશ્વિક મંચ બની રહે અને તે માટે વાર્ષિક સમારોહ-સંમેલન યોજાય તે જરૂરી છે. વડાપ્રધાને ચોથું લક્ષ્ય જણાવતા કહ્યું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ-દવાઓના ક્ષેત્રે શોધ-સંશોધન માટે પૂરતું મૂડી રોકાણ લાવવું અને તે માટે ફંડ મોબિલાઈઝેશન પણ અતિ આવશ્યક છે. આ ગ્લોબલ સેન્ટરે તે માટે કાર્યરત થવું પડશે.તેમણે પાંચમા લક્ષ્ય અંગે કહ્યું કે, માનવસમુદાયને મોર્ડન પ્લસ ટ્રેડિશનલ એમ બન્ને ચિકિત્સા પદ્ધતિઓ ધરાવતા હોલિસ્ટિક હેલ્થ એપ્રોચનો લાભ મળી રહે તે હેતુથી ટ્રેડિશનલ મેડિસિનથી ટ્રિટમેન્ટના પ્રોટોકોલ નક્કી કરવામાં આ કેન્દ્રએ ચાવીરૂપ ભૂમિકા અદા કરવી પડશે.પ્રધાનમંત્રીશ્રીએ આ સંદર્ભે વધુમાં કહ્યું કે, આજથી પાંચ દશક પહેલાં વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના જામનગરમાં થઈ હતી. કોરોનાકાળમાં હેલ્થકેર ડિલિવરી માટે નવા આયામોની આવશ્યકતા દુનિયાને સમજાઈ છે, ત્યારે જામનગર ખાતેનું આ ગ્લોબલ સેન્ટર વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બની રહેશે.તેમણે ઉમેર્યું કે, ભારતીય જીવનપ્રણાલી આયુર્વેદના માધ્યમથી સંતુલિત આહાર, શરીર-મનનું સંતુલન, તેમ જ યોગ-પ્રાણાયામયુક્ત દિનચર્યાને પ્રાધાન્ય આપે છે.

સો વર્ષના આયુષ્યની કામના આપણે ત્યાં સહજ છે. ભારતનું આ જ્ઞાન અહીં પારંપારિક ચિકિત્સા પદ્ધતિઓના વિકાસમાં મોટો ફાળો આપશે.વડાપ્રધાનશ્રીએ WHOના વડા શ્રી ટેડરોસ એધનોમનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે શ્રીયુત ડો. ટેડરોસે તેમના માનસ સંતાન સમાન આ ગ્લોબલ સેન્ટરને હવે ભારતને સોંપ્યું છે. વડાપ્રધાનશ્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથનો પણ જી.સી.ટી.એમ.ની સફળતા માટે શુભકામનાઓ પાઠવવા બદલ આભાર માન્યો હતો.*-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-* મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશમાં યોગ-આયુર્વેદના ભારતીય જ્ઞાન-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો પ્રાચીન વારસો આજે વૈશ્વિક આરોગ્ય સુરક્ષાના હેતુથી અલગ જ સ્વરૂપે પ્રસ્તુત થઈ રહ્યો છે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી ‘બહુજન હિતાય બહુજન સુખાય’ સૂત્ર સાકાર થવાનું છે.તેમણે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન રૂપે અમૃત કળશની ભેટ દેશને આપી છે. ભારતમાં યોગ-આયુર્વેદ જેવી પ્રાચીન પરંપરાગત ઉપચાર પદ્ધતિઓનો ખજાનો રહેલો છે. વિશ્વભરની ૧૩૮ જેટલી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના જ્ઞાનના આદાન-પ્રદાન માટે આ કેન્દ્ર આંતરરાષ્ટ્રિય મંચ બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સરકારે આયુર્વેદ, યોગ અને બીજી આયુષ પદ્ધતિઓ તથા સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાની સાથે સંયોજિત કરવાનો નિર્ધાર કર્યો છે. એકવીસમી સદીમાં આધુનિક વિજ્ઞાન સાથે આ પ્રાચીન જ્ઞાનને જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય આ ગ્લોબલ સેન્ટરથી હાથ ધરાશે.ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી યોગ-આયુર્વેદની ભારતીય પરંપરાના પ્રચારના વડાપ્રધાનશ્રીના પ્રયાસોને કારણે વિશ્વ સમુદાયમાં ભારતનો સોફ્ટ પાવર વધ્યો હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો.તેમણે ઉમેર્યું કે, વિશ્વ આખાને એક પરિવાર સમજી, સૌના સ્વાસ્થ્ય, સૌની તંદુરસ્તી માટે આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કાર્યરત બનશે. વડાપ્રધાનશ્રીએ ગ્લોબલ હેલ્થ ફેસિલિટિઝના નકશા ઉપર જામનગર-ગુજરાતને કાયમી ધોરણે અંકિત કરી દીધું છે.*મોરેશિયસના પ્રધાનમંત્રીશ્રી પ્રવિન્દ  જગન્નાથે જણાવ્યું કે,* માનવ શરીરના ઉપચાર માટે વનસ્પતિ, ખનીજો જેવા કુદરતી પદાર્થો સદીઓથી વપરાતા આવ્યા છે. જી.સી.ટી.એમ. આ માનવજ્ઞાનના સંવર્ધન માટેનું અધિકૃત અને વિશ્વસનીસ અને કેન્દ્ર બની રહેશે. તેમણે કહ્યું કે ૧૯૩૪થી મોરેશિયસમાં ભારતીય ઉપચાર પદ્ધતિઓ અમલમાં છે.

ત્યાં આયુર્વેદ એક માન્ય ઉપચાર પદ્ધતિ છે.દર વર્ષે ધનતેરસની ઉજવણી સમગ્ર મોરેશિયસમાં આયુર્વેદ દિવસ તરીકે કરવામાં આવે છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી. આ કાર્યક્રમમાં મોરેશિયસને સહભાગી કરવા બદલ તેમણે ભારત પ્રત્યે હર્ષની લાગણી વ્યકત કરી હતી. *બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ* વિડિયો મેસેજના માધ્યમથી કહ્યું કે, ટ્રેડિશનલ મેડિસિન અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય આરોગ્ય વિષયક નવા પડકારોનો સામનો કરી શકે છે. યુનાની, આયૂર્વેદિક, હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિઓની બાંગ્લાદેશમાં વ્યાપક પણે ઉપયોગમાં છે, તેમ તેણીએ ઉમેર્યું હતું.  *ભૂતાનના વડાપ્રધાન લોતેય શેરિંગે* વિડિયો મેસેજના માધ્યમથી જણાવ્યું હતું કે, ભૂતાનની પર્વતીય ભૂમિ-પ્રાકૃતિક વનરાજીને કારણે ટ્રેડિશનલ મેડિસિનની પ્રેક્ટિસને મોટો અવકાશ ઉપલબ્ધ છે. સમગ્રતયા આરોગ્ય સુરક્ષા માટે ટ્રેડિશનલ મેડિસિન સાથે એલોપેથીનું ઈન્ટિગ્રેટેડ મોડેલ આદર્શ છે, તેમ તેણીએ ઉમેર્યું હતું.  *નેપાળના વડાપ્રધાન શેર બહાદૂર દેઉબાએ* કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત દેશ નેચરલ મેડિસિનનું ગ્લોબલ હબ બનવા તરફ જઈ રહ્યું છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ગ્લોબલ સેન્ટરની સ્થાપનાથી વિશ્વ આરોગ્યની મોટી સેવા કરવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.*WHOના વડા ડૉ. ટેડરોસ એધનોમે* કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને કમિટમેન્ટને કારણે ભારતમાં આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું નિર્માણ શક્ય બની રહ્યું છે. આ નવું કેન્દ્ર સમગ્ર વિશ્વના આરોગ્યની કાળજી, કુદરતી ઉપચારથી લેવામાં ઉપયોગી નીવડશે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, જામનગર ખાતેનું આ કેન્દ્ર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેના આઈ.પી.આર. નિર્ધારિત કરવામાં, રિસર્ચ એન્ડ એનાલિસિસ કરવામાં, વિશ્વસનીય માહિતીના સંચય અને સંવર્ધન કરવામાં, ઈનોવેશન, ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું કે, GCTMથી ગવર્નમેન્ટ, મેડિકલ પ્રેક્ટિશનર્સ અને એકેડેમિશિયન્સ એક મંચ પર આવશે તેમજ દુનિયાના લોકો ભારતના જામનગરમાં આવશે અને જામનગર-ભારતનું આ કેંદ્ર દુનિયા સુધી પહોંચશે.GCTMના વિકાસ માટે આવનારા દિવસોમાં WHO દ્વારા સંપૂર્ણ સહયોગની ખાતરી તેમણે આપી હતી. *આયુષ વિભાગના મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે* જણાવ્યું કે, WHOએ કોરોના મહામારીના કપરા કાળ વચ્ચે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનું વૈશ્વિક કેન્દ્ર ભારતમાં સ્થાપી વૈશ્વિક આરોગ્ય સુરક્ષાની દિશામાં મોટું પગલું ભર્યું છે. આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ તથા શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય સર્વશ્રી આર.સી.ફળદુ, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રણામી સંપ્રદાયના શ્રી કૃષ્ણમણી મહારાજ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વડાપ્રધાનશ્રીએ GCTM ના સફળ ક્રિયાન્વયન માટે આપ્યા પાંચ લક્ષ્યો
Next: Prime Minister set five goals for the successful implementation of GCTM
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.