વડોદરા (Vadodara) ના મકરપુરા વિસ્તારમાંથી મિત્રતાનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. બિહારમાં રહેતા એક પરમ મિત્રની આત્મહત્યા (Suicide) ના સમાચાર મળ્યા બાદ વડોદરામાં રહેતા તેના અન્ય ૨ મિત્રો આ આઘાત સહન ન કરી શક્યા અને માત્ર 24 કલાકમાં બંનેએ જીવન ટૂંકાવી લીધું.
પ્રથમ ઘટનામાં, મકરપુરા રેલવે સ્ટેશન (Railway Station) નજીક ટ્રેન (Train) નીચે પડતું મૂકીને 26 વર્ષીય રવિશંકરકુમાર પ્રસાદ નામના યુવકે આપઘાત કર્યો હતો.
પોલીસ (Police) તપાસમાં જાણવા મળ્યું કે, બિહારમાં રહેતા મિત્રના અવસાનથી દુઃખી રવિશંકરે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર “તેરે પાસ બહુત જલદી આતા હું” એવી સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટ (Post) મૂકીને આ પગલું ભર્યું હતું.
હજુ આ આઘાત શમ્યો ન હતો ત્યાં જશોદા કોલોનીમાં રહેતા અને તેની સાથે મકરપુરા GIDC માં નોકરી (Job) કરતા બીજા મિત્ર 23 વર્ષીય વિકાસ પ્રસાદે શુક્રવારે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો.
રવિશંકરના મોતના ગમમાં વ્યાકુળ થઈને વિકાસે પણ આત્મહત્યા કરી લીધી હતી. એક જ મિત્ર મંડળના 3 આશાસ્પદ યુવાનોના મોતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને રેલવે પોલીસ તેમજ મકરપુરા પોલીસ સ્ટેશન (Police Station) ની ટીમ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
Gujarat Accident Report | ગુજરાતમાં ટ્રાફિક નિયમોના (Traffic rules) ઉલ્લંઘનને કારણે માર્ગ અકસ્માતો (Road accidents)…
મહારાષ્ટ્રના રાજકારણમાં (Politics) ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં…
Celebi Aviation India | ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાનનો પક્ષ લેવાની ભારે કિંમત તુર્કીની…
Watermelon Seeds Uses | તડબૂચ એક એવું મોસમી ફળ છે જે સ્વાદની સાથે સ્વાસ્થ્યથી પણ ભરપૂર…
Telegram Ban NEET | આગામી 21 જૂનના રોજ યોજાનારી NEET UG રી-એક્ઝામિનેશન (Re-examination) ને સંપૂર્ણપણે…
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને આઈટી મંત્રાલયે રી-નીટ (Re-NEET) પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટેલિગ્રામ એપ્લિકેશનને ભારતમાં…