Gujarat

મિત્રની આત્મહત્યાથી દુઃખી વડોદરાના બે યુવાનોએ આપઘાત કર્યો

વડોદરા (Vadodara) ના મકરપુરા વિસ્તારમાંથી મિત્રતાનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. બિહારમાં રહેતા એક પરમ મિત્રની આત્મહત્યા (Suicide) ના સમાચાર મળ્યા બાદ વડોદરામાં રહેતા તેના અન્ય ૨ મિત્રો આ આઘાત સહન ન કરી શક્યા અને માત્ર 24 કલાકમાં બંનેએ જીવન ટૂંકાવી લીધું.

પ્રથમ ઘટનામાં, મકરપુરા રેલવે સ્ટેશન (Railway Station) નજીક ટ્રેન (Train) નીચે પડતું મૂકીને 26 વર્ષીય રવિશંકરકુમાર પ્રસાદ નામના યુવકે આપઘાત કર્યો હતો.

પોલીસ (Police) તપાસમાં જાણવા મળ્યું કે, બિહારમાં રહેતા મિત્રના અવસાનથી દુઃખી રવિશંકરે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર “તેરે પાસ બહુત જલદી આતા હું” એવી સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટ (Post) મૂકીને આ પગલું ભર્યું હતું.

હજુ આ આઘાત શમ્યો ન હતો ત્યાં જશોદા કોલોનીમાં રહેતા અને તેની સાથે મકરપુરા GIDC માં નોકરી (Job) કરતા બીજા મિત્ર 23 વર્ષીય વિકાસ પ્રસાદે શુક્રવારે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો.

રવિશંકરના મોતના ગમમાં વ્યાકુળ થઈને વિકાસે પણ આત્મહત્યા કરી લીધી હતી. એક જ મિત્ર મંડળના 3 આશાસ્પદ યુવાનોના મોતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને રેલવે પોલીસ તેમજ મકરપુરા પોલીસ સ્ટેશન (Police Station) ની ટીમ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Chief Editor

Recent Posts

ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

૩ ઓગસ્ટ-‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે’ **** ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં…

7 hours ago

ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે કળશ યાત્રાને આવકારી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી…

8 hours ago

સોહેલના ડિવોર્સ પર બોલ્યા સલમાન ખાન, ભાઈનો કર્યો બચાવ

Salman Khan | રિયાલિટી શો (Reality Show) 'ધ અલાયન્સ' (The Alliance) ના ફિનાલે વીકમાં (Finale…

16 hours ago

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન બહાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ: ૧૪ ના મોત

 બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસ કર્મચારીઓ અને ચાર નાગરિકો સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા…

1 day ago