Vinesh Phogat Brij Bhushan Singh | દિલ્હીની એક અદાલતે (Court) સોમવારે (3 August 2026) ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) ને 6 મહિલા પહલવાનો દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપોમાંથી નિર્દોષ મુક્ત કર્યા છે.
આ નિર્ણય આવ્યા બાદ સ્ટાર રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો દુઃખ અને આક્રોશ વ્યક્ત કર્યો છે.
વિનેશ ફોગાટે લખ્યું કે, “સત્તાધારી પાર્ટીના એક શક્તિશાળી નેતા સામે FIR નોંધાવવા માટે અમારે ખૂબ જ હિંમત એકઠી કરવી પડી હતી. બ્રિજભૂષણ શરણ સિંહે પોતાની સત્તા અને પ્રભાવના આધારે ઘણી છોકરીઓને ડરાવીને તેમના નામ પાછા ખેંચાવી લીધા હતા, પરંતુ કેટલીક મહિલા પહલવાનો અડીખમ રહીને કોર્ટમાં લડાઈ લડતી રહી.”
વિનેશે વધુમાં ઉમેર્યું કે, “અમને એ વાતનું ખૂબ જ દુઃખ છે કે કોર્ટે યૌન શોષણના આ આરોપોમાં તેમને દોષી ન માન્યા. શરૂઆતથી જ આખી સિસ્ટમ (System) અને સરકાર તેમને બચાવવામાં લાગી હતી. જોકે, અમે હિંમત હારી નથી. મહિલા પહલવાનોએ પોતાના વકીલોને આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં (High Court) અપીલ કરવાનો આદેશ આપી દીધો છે અને આ અપીલ ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે. અમારી આ લડાઈ ચાલુ રહેશે.”
આ કેસ 2023 માં શરૂ થયો હતો, જ્યારે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા દેશના દિગ્ગજ ખેલાડીઓએ જંતર-મંતર પર ધરણા આપ્યા હતા. ત્યારબાદ Delhi Police દ્વારા પણ FIR નોંધવામાં આવી હતી અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આ ચુકાદો આવ્યો છે.
૩ ઓગસ્ટ-‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે’ **** ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી…
LPG eKYC Deadline | જો તમે પણ રસોઈ ગેસ સિલિન્ડરનો (LPG Cylinder) ઉપયોગ કરો છો,…
Salman Khan | રિયાલિટી શો (Reality Show) 'ધ અલાયન્સ' (The Alliance) ના ફિનાલે વીકમાં (Finale…
બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસ કર્મચારીઓ અને ચાર નાગરિકો સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા…
ત્રણ દિવસમાં બીજી વખત દાતા હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલ લાવવા કરાયો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો…