Petrol dieselમિડિલ ઈસ્ટ (Middle East) માં તણાવ અને ક્રૂડ ઓઇલ (Crude Oil) ની કિંમતો ઊંચી રહેવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel) ના ભાવમાં ખાસ વધારો કરવામાં આવ્યો ન હતો. આ કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. પરંતુ, હવે જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવ્યા છે અને સ્થાનિક સ્તરે ઇંધણના દરો ઘટાડવામાં આવ્યા નથી, તેમ છતાં ઓઇલ કંપનીઓને ભારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝ (ICICI Securities) ના અહેવાલ મુજબ, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન ક્વાર્ટર (Quarter) દરમિયાન ઓઇલ કંપનીઓના માર્જિન પર જોરદાર ફટકો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીઓને ડીઝલ પર પ્રતિ લીટર ₹18.9 અને પેટ્રોલ પર પ્રતિ લીટર ₹6 નું મોટું નુકસાન (Loss) ઉઠાવવું પડ્યું છે.
ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં સ્થિતિ તદ્દન અલગ હતી. ગયા વર્ષે આ ગાળામાં કંપનીઓએ ડીઝલ પર ₹8.2 પ્રતિ લીટર અને પેટ્રોલ પર ₹10.3 પ્રતિ લીટરનો મજબૂત પ્રોફિટ માર્જિન (Profit Margin) મેળવ્યો હતો.
જોકે, તાજેતરના ક્વાર્ટરમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ફ્યુઅલ (Refined Fuel) ના ભાવમાં જે વધારો થયો, તેને ભારતમાં રિટેલ પ્રાઇસ (Retail Price) માં સંપૂર્ણપણે ટ્રાન્સફર કરવામાં આવ્યો ન હતો. આ અસંતુલનને કારણે કંપનીઓનો નફો નેગેટિવ (Negative) ઝોનમાં ચાલ્યો ગયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે? સામાન્ય ગ્રાહકો પેટ્રોલ પંપ પર જે કિંમત ચૂકવે છે તેમાં ઘણા પરિબળો સામેલ હોય છે. રિફાઇનરી ગેટ (Refining Gate) પર પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ની કિંમત વૈશ્વિક રિફાઇન્ડ ફ્યુઅલના રેટ પર આધારિત હોય છે. ત્યારબાદ તેમાં ફ્રેટ ચાર્જ (Freight Charge), લોજિસ્ટિક્સ કોસ્ટ (Logistics Cost), ડિસ્ટ્રિબ્યુશન ખર્ચ, ડીલર કમિશન (Dealer Commission) અને સેન્ટ્રલ તથા સ્ટેટ ટેક્સ (Tax) ઉમેરીને અંતિમ રિટેલ પ્રાઇસ નક્કી થાય છે. આ ખર્ચમાં થતી વધઘટ સીધી કંપનીઓના માર્જિનને અસર કરે છે. વૈશ્વિક કિંમતો વધવા છતાં જો પંપ પર ભાવ ન વધે, તો કંપનીઓનું માર્જિન ઘટે છે.
નુકસાનનું મુખ્ય કારણ શું છે? પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટર (Petroleum and Natural Gas Minister) હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ માર્કેટ રેટ કરતાં ઓછા ભાવે પેટ્રોલ, ડીઝલ, LPG અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) નું વેચાણ કરવું પડ્યું છે, જેના કારણે અંદાજે ₹75,000 કરોડનું મોટું નુકસાન થયું છે. આ વર્તમાન નુકસાનને કારણે વિતેલા બે નાણાકીય વર્ષોમાં જોવા મળેલું મજબૂત રિટેલ માર્જિન હવે ધોવાઈ ગયું છે. ફાઇનાન્શિયલ યર 2025 (FY25) ના ત્રીજા ક્વાર્ટરમાં પેટ્રોલ માર્જિન ₹12 પ્રતિ લીટરની સર્વોચ્ચ સપાટીએ હતું, જે હવે માઇનસમાં સરકી ગયું છે.
