World

પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર: 25 કરોડ લોકો ભૂખમરાની ચપેટમાં, ગરીબીનો દર 43.5% એ પહોંચ્યો

Pakistan Economic Crisis | પાકિસ્તાન હાલમાં ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સોશિયલ પોલિસી એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (SPDC) ના તાજેતરના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં ગરીબીનો દર (Poverty Rate) વધીને 43.5% થઈ ગયો છે. આ આંકડો પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના અગાઉના અંદાજ કરતા 14.6% વધુ છે. અનેક દેશો અને આઈએમએફ (IMF) ના દેવામાં ડૂબેલી શહબાઝ શરીફ (Shehbaz Sharif) સરકાર જનતાને મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે.

શહેરો અને ગામડાઓમાં ગરીબીની સ્થિતિ: અહેવાલ અનુસાર, પાકિસ્તાનમાં આશરે 25 કરોડ લોકો ગરીબી અને ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.

શહેરી વિસ્તારો (Urban Areas): ગરીબીનો દર 32.1% થી વધીને 42.1% થયો છે (10% નો વધારો).

ગ્રામીણ વિસ્તારો (Rural Areas): ગરીબી 39.3% થી વધીને 44.3% થઈ છે.

આવકની અસમાનતા અને મૂળભૂત જરૂરિયાતોનો અભાવ: વર્ષ 2018-19માં રાષ્ટ્રીય ગરીબી દર 36.6% હતો, જે 2024-25માં વધીને 43.5% થયો છે. ગરીબીનો આ આંકડો વ્યક્તિદીઠ જરૂરી લઘુત્તમ કેલરી (Minimum Calories), આરોગ્ય સુવિધાઓ અને સ્વચ્છ પીવાના પાણીની (Clean Drinking Water) ઉપલબ્ધતાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. હોમ ઈન્ટિગ્રેટેડ ઈકોનોમિક સર્વે (HIES) મુજબ, પાકિસ્તાનમાં આવકની અસમાનતા અસહ્ય સ્તરે પહોંચી છે, જ્યાં એક તરફ અતિ શ્રીમંત વર્ગ છે અને બીજી તરફ કરોડો લોકો ભૂખે મરી રહ્યા છે.

Chief Editor

Recent Posts

કલોલ ખાતે ₹૪૯ કરોના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન સંપન્ન

*** ગુજરાતનું જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં સર્વશ્રેષ્ઠ: ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ   ***…

4 hours ago

સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક

સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક સીજી સેમિકોનના કમર્શિયલ…

4 hours ago

ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની

ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’: 'એન્ટી-સ્નેક વેનમ' બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર   વલસાડનાં…

5 hours ago

રેલ મંત્રી તમારો ભાઈ છે….મંત્રી અશ્વિની વૈષ્ણવ

“રેલ મંત્રી તમારો ભાઈ છે, તમારી વચ્ચે જ છે. આરામથી બધા સેલ્ફી લઈ લો.”  …

5 hours ago

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી અમદાવાદ…

1 day ago

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદની મુલાકાત રેલવેમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે લીધી

શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ…

1 day ago