World

મિનાબ સ્કૂલ હુમલો: ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા જાહેર કર્યા, 168 બાળકોના મોતનો લગાવ્યો આરોપ

Minab School Deadly Air Strike | ઈરાનના મિનાબમાં એક પ્રાથમિક શાળા પર થયેલા ભયાનક મિસાઈલ હુમલાએ વિશ્વભરમાં ચકચાર મચાવી છે. આ હુમલામાં 168 માસૂમ બાળકો સહિત કુલ 175 લોકોના મોત થયા છે. ઈરાને (Iran) આ નરસંહાર માટે સીધો જ અમેરિકન નૌસેનાના (US Navy) બે ઉચ્ચ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે અને તેમના ફોટા જાહેર કરીને તેમને ‘કાતિલ’ ગણાવ્યા છે.

અમેરિકન અધિકારીઓ પર ગંભીર આરોપ : ભારત, દક્ષિણ આફ્રિકા અને નાઇજીરિયામાં આવેલા ઈરાની દૂતાવાસોએ સોશિયલ મીડિયા પર અમેરિકન યુદ્ધ જહાજ USS સ્પ્રુઅન્સ (USS Spruance) ના બે અધિકારીઓના નામ જાહેર કર્યા છે. જેમાં કમાન્ડિંગ ઓફિસર Leigh R. Tate અને એક્ઝિક્યુટિવ ઓફિસર Jeffrey E. York સામેલ છે. ઈરાનનો દાવો છે કે આ બંનેએ જાણીજોઈને ત્રણ વાર ટોમહોક મિસાઈલ (Tomahawk Missile) છોડવાનો આદેશ આપ્યો હતો.

અમેરિકાનો બચાવ અને તપાસ : બીજી તરફ, અમેરિકાએ આ હુમલાને ‘ઈન્ટેલિજન્સ ફેલ્યોર’ (Intelligence Failure) ગણાવ્યો છે. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, જૂના નકશા અને ડેટાના કારણે મિસાઈલ સૈન્ય મથકને બદલે નજીકની શાળા પર પડી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આમાં ઈરાનની હથિયાર પ્રણાલીની ખામી હોવાની શંકા વ્યક્ત કરી છે, જ્યારે ઈરાને આને ઈરાદાપૂર્વક કરાયેલું ‘યુદ્ધ અપરાધ’ ગણાવ્યું છે. આ હુમલો 28 ફેબ્રુઆરીના રોજ થયો હતો, જેના કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

Chief Editor

Recent Posts

કલોલ ખાતે ₹૪૯ કરોના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન સંપન્ન

*** ગુજરાતનું જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં સર્વશ્રેષ્ઠ: ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ   ***…

5 hours ago

સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક

સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક સીજી સેમિકોનના કમર્શિયલ…

5 hours ago

ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની

ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’: 'એન્ટી-સ્નેક વેનમ' બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર   વલસાડનાં…

6 hours ago

રેલ મંત્રી તમારો ભાઈ છે….મંત્રી અશ્વિની વૈષ્ણવ

“રેલ મંત્રી તમારો ભાઈ છે, તમારી વચ્ચે જ છે. આરામથી બધા સેલ્ફી લઈ લો.”  …

6 hours ago

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી અમદાવાદ…

1 day ago

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદની મુલાકાત રેલવેમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે લીધી

શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ…

1 day ago