World

ભારતમાં LPG સંકટ: પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની મંજૂરી, હોર્મુઝની ખાડીમાં 18 જહાજ ફસાયા

LPG Shortage and Kerosene Return | મધ્ય-પૂર્વના યુદ્ધના કારણે ભારતમાં એલપીજી (LPG) પુરવઠા પર અસર પડી છે. આ સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારે વર્ષ 2020 પછી પ્રથમવાર બજારમાં કેરોસીનના (Kerosene) વેચાણને મંજૂરી આપી છે. નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ, દરેક જિલ્લામાં વધુમાં વધુ 2 પેટ્રોલ પંપો (Petrol Pumps) 5,000 લીટર સુધી કેરોસીનનો સંગ્રહ અને વેચાણ કરી શકશે. આ છૂટછાટ અસ્થાયી છે અને તેનો ઉપયોગ માત્ર રાંધણ તથા પ્રકાશ માટે જ કરી શકાશે.

હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજો (Ships in Strait of Hormuz): ભારતીય ધ્વજવાળા વધુ 2 જહાજ, ‘બીડબલ્યુ ટીવાયઆર’ અને ‘બીડબલ્યુ ઈએલએમ’, 94,000 ટન એલપીજી કાર્ગો સાથે હોર્મુઝની ખાડી (Strait of Hormuz) સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે. જોકે, હજુ પણ 485 ભારતીય નાવિકો સાથેના 18 જહાજ ત્યાં ફસાયેલા છે. સરકાર આ જહાજોને સુરક્ષિત રીતે ભારતીય બંદરો પર લાવવા પ્રયત્નશીલ છે.

પીએનજી અને કમર્શિયલ સપ્લાય (PNG and Commercial Supply): એલપીજીની અછતને ઓછી કરવા માર્ચ મહિનામાં રેકોર્ડ 2.9 લાખ નવા પીએનજી (PNG Connection) કનેક્શન આપવામાં આવ્યા છે. હોટેલ, રેસ્ટોરાં અને ઉદ્યોગો માટે કમર્શિયલ એલપીજીનો (Commercial LPG) સપ્લાય વધારવામાં આવ્યો છે. આ સાથે જ ઇંધણની કાળાબજારી રોકવા માટે દેશભરમાં 2,900 દરોડા પાડીને 1,000 થી વધુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.

Chief Editor

Recent Posts

કલોલ ખાતે ₹૪૯ કરોના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન સંપન્ન

*** ગુજરાતનું જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં સર્વશ્રેષ્ઠ: ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ   ***…

3 hours ago

સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક

સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક સીજી સેમિકોનના કમર્શિયલ…

3 hours ago

ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની

ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’: 'એન્ટી-સ્નેક વેનમ' બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર   વલસાડનાં…

3 hours ago

રેલ મંત્રી તમારો ભાઈ છે….મંત્રી અશ્વિની વૈષ્ણવ

“રેલ મંત્રી તમારો ભાઈ છે, તમારી વચ્ચે જ છે. આરામથી બધા સેલ્ફી લઈ લો.”  …

3 hours ago

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી અમદાવાદ…

1 day ago

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદની મુલાકાત રેલવેમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે લીધી

શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ…

1 day ago