LPG Supply Crisis India: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષને કારણે ભારતમાં રાંધણ ગેસ (LPG) ના સપ્લાય પર માઠી અસર પડી છે. આ અછતને પહોંચી વળવા અને ઘરેલું ગ્રાહકો (Domestic Consumers) ને મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારે હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો (Industries) માટે કોલસો (Coal), કેરોસીન (Kerosene) અને બાયોમાસ (Biomass) જેવા વૈકલ્પિક ઇંધણોના ઉપયોગની મંજૂરી આપી છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી (Petroleum Minister) હરદીપ સિંહ પુરીએ લોકસભામાં જણાવ્યું કે, પર્યાવરણ મંત્રાલયે એક મહિના માટે આ છૂટ આપી છે. આ માટે રાજ્યોને વધારાનું 48,000 કિલોલીટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. સાથે જ કોલ ઈન્ડિયા (Coal India) ને પણ નાના ગ્રાહકોને વધુ કોલસો પૂરો પાડવા સૂચના અપાઈ છે.
બુકિંગના નિયમોમાં ફેરફાર: લોકોમાં વધી રહેલા પેનિક બુકિંગ (Panic Booking) ને રોકવા માટે સરકારે બે સિલિન્ડર વચ્ચેનો સમયગાળો વધારી દીધો છે. હવે શહેરોમાં 25 દિવસ અને અન્ય વિસ્તારોમાં 45 દિવસ પછી જ બીજું સિલિન્ડર બુક કરાવી શકાશે. અગાઉ આ મર્યાદા 21 દિવસની હતી. સરકારે ગ્રાહકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી સ્ટોક ન કરવા અપીલ કરી છે.
