kirti patel indrabharti bapu junagadh controversy ends
Junagadh kirti Patel Controversy Settled | જૂનાગઢ (Junagadh) માં છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલા હાઈપ્રોફાઈલ વિવાદનો આખરે અંત આવ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ (Kirti Patel) અને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ (Indrabharti Bapu) વચ્ચેના મનભેદ હવે દૂર થયા છે.
કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુને આદરપૂર્વક સાલ ઓઢાડીને તેમના આશીર્વાદ લીધા હતા. મૃગી કુંડમાં ‘શાહી સ્નાન’ (Shahi Snan) બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા હતા કે તેમને બાપુના ઇશારે નિશાન બનાવવામાં આવ્યા હતા.
જોકે, સનાતન ધર્મ (Sanatan Dharma) ની એકતા જાળવી રાખવા અને સાધુ-સંતોના સન્માન ખાતર આ વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે. કીર્તિ પટેલે જણાવ્યું હતું કે અનેક લોકોએ ભારતી પરિવાર (Bharti Family) ને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુરુ હરીહરાનંદ ભારતી બાપુના માન-સન્માન માટે તેમણે સમાધાનનો માર્ગ પસંદ કર્યો છે.
આ પ્રસંગે જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમાધાનથી ગિરનારની તળેટીમાં ફરી એકવાર ધાર્મિક અને શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થયું છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા એક ગામના લોકોની લાંબા સમયની માગણીનો આખરે સુખદ અંત આવ્યો…
Vikram-1 Rocket Launch | ભારતના સ્પેસ સેક્ટરમાં (Space Sector) આજે એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે.…
ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કેવી રીતે કામ કરે છે? ગ્રીન એન્જિન પાછળનું વિજ્ઞાન …
Hydrogen Train India | પર્યાવરણ સુરક્ષા અને ગ્રીન એનર્જી (Green Energy) ક્ષેત્રે ભારતીય રેલવે (Indian…
વૈશ્વિક વ્યાપારિક સમીકરણો અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ રહી છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર…
Large-Mid Cap Stocks | શેરબજારમાં (Stock Market) રોકાણ કરતી વખતે યોગ્ય શેરની પસંદગી કરવી ખૂબ…