1008 પાર્થિવ શિવલિંગો બનાવી ભવ્ય શિવલિંગ મહાપૂજા
રાધા કૃષ્ણ મંદિર, એલેન ખાતે 13 થી 16 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ભવ્ય મહાશિવરાત્રી સાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર મહોત્સવે નાના બાળકો થી લઈને વડીલો તેમજ કોલેજના યુવાનો સહિત તમામ વયના ભક્તોમાં ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો અનુભવ કરાવ્યો હતો. મહોત્સવ દરમિયાન ભક્તોએ માટીમાંથી 1008 પાર્થિવ શિવલિંગો બનાવી ભવ્ય શિવલિંગ મહાપૂજામાં ભાગ લીધો હતો. વિશેષ ભજન સંધ્યા અને કીર્તન જામિંગ કાર્યક્રમોમાં “શિવ કૈલાશ કે વાસી”, “ૐ નમઃ શિવાય” સહિત અનેક શિવ ભજનોના ગાનથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ભવ્ય રીતે આયોજિત 12 જ્યોતિર્લિંગ પૂજા રહ્યું હતું.
મંદિરમાં સ્થાપિત તમામ જ્યોતિર્લિંગ મૂળ ભારત સ્થિત જ્યોતિર્લિંગોના પ્રતિરૂપ સ્વરૂપે પધાર્યા હતા. મહાશિવરાત્રી દરમિયાન ભક્તોએ 12 જ્યોતિર્લિંગ પર જલ અને દૂધ અભિષેક કરીને દિવ્ય પુણ્યનો લાભ લીધો અને ભગવાન શિવ પ્રત્યે પોતાની અખંડ ભક્તિ વ્યક્ત કરી. તે ઉપરાંત શિવલીલા પ્રદર્શન તથા 25 ફૂટ ઊંચી ભગવાન શિવજીની ભવ્ય પ્રતિમાએ બાળકો અને વડીલો સૌને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવ્યો. મહાશિવરાત્રીના મુખ્ય દિવસે મંદિરના પ્રાર્થના હોલમાં સતત 12 કલાકની કીર્તન સાધના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેના કારણે દર્શનાર્થે આવેલા ભક્તો લાંબા સમય સુધી સાધનામાં લીન રહી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી શક્યા. રાધા કૃષ્ણ મંદિર, એલેન દ્વારા આયોજિત આ મહાશિવરાત્રી સાધના મહોત્સવે તમામ ભક્તોના હૃદયમાં શ્રદ્ધા, આનંદ અને દિવ્ય અનુભૂતિની અમિટ છાપ છોડી ગઈ.
Ahmedabad Election Security | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ની 48 વોર્ડની 192 બેઠકો માટે…
Pakistan Iran Mediation | મધ્ય-પૂર્વ (Middle East) માં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક…
આશા ભોસલેના અસ્થિ વિસર્જન સમયે પૌત્રી જનાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, વારાણસી ઘાટનો વીડિયો ભાવુક…
લેન્સકાર્ટ સ્ટોરમાં કર્મચારીઓને તિલક કરી ગયા આ મુસ્લિમ મહિલા, હિંદુઓને કરી ખાસ અપીલ Lenskart Controversy:…
એક મોટા નીતિગત ફેરફારમાં, નરેન્દ્ર મોદી વહીવટીતંત્રે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા દિનેશ ત્રિવેદીને…
ટેક્ષાસમાં, શ્રી ગોવર્ધનનાથજી મંદિર (Vaishnav Milan of Texas) દ્વારા આયોજિત આ ત્રિદિવસીય ત્રિ સ્વરુપ મહોત્સવ…