1008 પાર્થિવ શિવલિંગો બનાવી ભવ્ય શિવલિંગ મહાપૂજા
રાધા કૃષ્ણ મંદિર, એલેન ખાતે 13 થી 16 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ભવ્ય મહાશિવરાત્રી સાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર મહોત્સવે નાના બાળકો થી લઈને વડીલો તેમજ કોલેજના યુવાનો સહિત તમામ વયના ભક્તોમાં ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો અનુભવ કરાવ્યો હતો. મહોત્સવ દરમિયાન ભક્તોએ માટીમાંથી 1008 પાર્થિવ શિવલિંગો બનાવી ભવ્ય શિવલિંગ મહાપૂજામાં ભાગ લીધો હતો. વિશેષ ભજન સંધ્યા અને કીર્તન જામિંગ કાર્યક્રમોમાં “શિવ કૈલાશ કે વાસી”, “ૐ નમઃ શિવાય” સહિત અનેક શિવ ભજનોના ગાનથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ભવ્ય રીતે આયોજિત 12 જ્યોતિર્લિંગ પૂજા રહ્યું હતું.
મંદિરમાં સ્થાપિત તમામ જ્યોતિર્લિંગ મૂળ ભારત સ્થિત જ્યોતિર્લિંગોના પ્રતિરૂપ સ્વરૂપે પધાર્યા હતા. મહાશિવરાત્રી દરમિયાન ભક્તોએ 12 જ્યોતિર્લિંગ પર જલ અને દૂધ અભિષેક કરીને દિવ્ય પુણ્યનો લાભ લીધો અને ભગવાન શિવ પ્રત્યે પોતાની અખંડ ભક્તિ વ્યક્ત કરી. તે ઉપરાંત શિવલીલા પ્રદર્શન તથા 25 ફૂટ ઊંચી ભગવાન શિવજીની ભવ્ય પ્રતિમાએ બાળકો અને વડીલો સૌને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવ્યો. મહાશિવરાત્રીના મુખ્ય દિવસે મંદિરના પ્રાર્થના હોલમાં સતત 12 કલાકની કીર્તન સાધના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેના કારણે દર્શનાર્થે આવેલા ભક્તો લાંબા સમય સુધી સાધનામાં લીન રહી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી શક્યા. રાધા કૃષ્ણ મંદિર, એલેન દ્વારા આયોજિત આ મહાશિવરાત્રી સાધના મહોત્સવે તમામ ભક્તોના હૃદયમાં શ્રદ્ધા, આનંદ અને દિવ્ય અનુભૂતિની અમિટ છાપ છોડી ગઈ.
MT Jalveer Ship Attack | ઓમાન (Oman) તટ નજીક બુધવારે થયેલા હુમલાના 24 કલાક વીત્યા…
Shatrughan Sinha TMC | બળવાનો સામનો કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માંથી મોટા સમાચાર આવ્યા…
IT Stocks Crash | આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence - AI) ના ખોફને કારણે દિગ્ગજ શેરોમાં…
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ફરી એકવાર ભારે હોબાળો મચ્યો છે અને ચારેતરફ પાકિસ્તાન વિરોધી…
Hunar Hale Divorce | ટેલિવિઝન એક્ટ્રેસ (Television Actress) હુનર હાલી (Hunar Hale) હાલ પોતાની જિંદગીના…
Delimitation Bill | કેન્દ્રની BJP સરકારને વિધાનસભા ચૂંટણીઓ (Assembly Elections) ની વચ્ચે એક મોટો ઝટકો…