US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) એક્શન મોડમાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમની અસર ભારતની આંતરિક સુરક્ષા પર ન પડે તે માટે તમામ રાજ્યોને એલર્ટ (Alert) જારી કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે ઈરાન સમર્થક અને ઈરાન વિરોધી જૂથોની ગતિવિધિઓ પર કડક દેખરેખ રાખવામાં આવે.
ખાસ કરીને દૂતાવાસ (Embassy), વાણિજ્ય દૂતાવાસ અને યહૂદી સંસ્થાઓની આસપાસ સુરક્ષા ઘેરો મજબૂત કરવામાં આવ્યો છે. ગુપ્તચર એજન્સીઓ (Intelligence Agencies) ના ઇનપુટ મુજબ, ઇસ્લામિક સ્ટેટ (IS) અને અલ-કાયદા (Al-Qaeda) જેવા આતંકી સંગઠનો આ તણાવપૂર્ણ સ્થિતિનો ફાયદો ઉઠાવી અશાંતિ ફેલાવી શકે છે. સોશિયલ મીડિયા (Social Media) પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે જેથી અફવાઓ રોકી શકાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં પશ્ચિમ એશિયાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. PM મોદીએ વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને મદદ માટે તાત્કાલિક પગલાં લેવા તમામ વિભાગોને સૂચના આપી છે.
