Ahmedabad Naranpura School Student Attack | અમદાવાદ (Ahmedabad) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. શહેરના નારણપુરા (Naranpura) વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર ધોરણ 10માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થી પર ધોળા દિવસે છરી વડે જીવલેણ હુમલો (Knife Attack) કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ (Fear Atmosphere) વ્યાપી ગયો છે.
પોલીસની પ્રાથમિક તપાસ (Investigation) મુજબ, આ હુમલા પાછળ ચાર મહિના જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. શાળામાં જ અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે તકરાર થઈ હતી. આ જૂના ઝઘડાનું વેર રાખીને, આજે જ્યારે વિદ્યાર્થી પરીક્ષા (Exam) આપીને શાળાની બહાર નીકળ્યો ત્યારે હુમલાખોર વિદ્યાર્થીએ તેના સાથીદારો સાથે મળીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.
અમદાવાદ (Ahmedabad) સિટી DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, શાળાના સંચાલકો સાથે થયેલી વાતચીત મુજબ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી છે. બીજી તરફ, ઘટનાની જાણ થતા જ ઘાટલોડિયા પોલીસ (Ghatlodia Police) કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. ધોળા દિવસે શાળાની બહાર બનેલી આ ઘટનાએ વાલીઓ (Parents) અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે.
