Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શું તમે જાણો છો કે પૃથ્વીની ધરીના ઝોકમાં ફેરફાર આબોહવા પરિવર્તનનું કારણ બની શકે છે?….Outreach Program on Tropic of Cancer Science Park by GUJCOST

H S June 21, 2023
21-6 vi1

ખ્યાતનામ નિષ્ણાતો ડૉ. જે.એન. દેસાઈ અને ડૉ. વી.બી. કાંબલેએ ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર વિશે માહિતી આપી

કાર્યક્રમમાં ગુજરાતના સાત જિલ્લાના સાયન્સ કોમ્યુનિકેટર્સે હાજરી આપી હતી

Join Our WhatsApp Group

21-6-2023

21મી જૂન ગુજરાત માટે મોટો દિવસ છે. કર્કવૃત એ, વિષુવવૃત્તથી 23.44 ડિગ્રી ઉત્તરના ખૂણા પર એક કાલ્પનિક રેખા છે, જે આ રેખા રાજ્યના 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે.

કર્કવૃત ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય છે: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ.

ગુજરાતમાં તે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે: (1) અરવલી, (2) સાબરકાંઠા, (3) ગાંધીનગર, (4) મહેસાણા, (5) સુરેન્દ્રનગર, (6) પાટણ, (7) કચ્છ.

કર્કવૃત અને તેના મહત્વ વિશે જાગૃતિ અને સમજ ઉભી કરવા તેમજ સ્થળને એક સંશોધન બિંદુ તરીકે વિકસાવવા માટે, ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક 5930 ચોરસ મીટર વિસ્તારમાં સલાલ ગામ ખાતે વિકસાવવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર હાઇવે પર આ પ્રોજેક્ટ રૂ. 7.00 કરોડના ખર્ચે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.

ગુજકોસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી આ ટ્રોપિક ઓફ કેન્સર પાર્ક વિશે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે, ગુજકોસ્ટ દ્વારા ઉનાળાના અયનકાળના દિવસે એક આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું-જે દિવસે સૂર્યના કિરણો કર્કવૃત પર બરાબર લંબ હોય છે.

ડૉ. જે.એન. દેસાઈ, ભૂતપૂર્વ પ્રોફેસર, ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર, ભૌતિક સંશોધન પ્રયોગશાળા (પી.આર.એલ.) અને ડૉ. વી. બી. કાંબલે, ભૂતપૂર્વ નિયામક, વિજ્ઞાન પ્રસારના સત્રમા વિજ્ઞાન સંચારકર્તાઓને અમૂર્ત અને કલ્પનાશીલ ખ્યાલ વિશે સમજાવ્યુ. તેઓએ દર વર્ષે ટ્રોપિક ઓફ કેન્સર લાઇનની હિલચાલના કારણો પણ સમજાવ્યા. આબોહવાની પરિસ્થિતિઓમાં પરિવર્તનનો સંબંધ પૃથ્વીની ધરીના ઝોક સાથે પણ છે, તે નિષ્ણાતો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના સાત જિલ્લાના વિજ્ઞાન સંચારકારોએ (Science Communicators એ) હાજરી આપી હતી જ્યાંથી કર્કવૃત પસાર થાય છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ
Next: બીહેવિયરલ સાયન્સ વીકની ઉજવણીના ભાગરૂપે સેટકોમના માધ્યમથી સમાજ ‘સામાજિક વ્યવહાર પરિવર્તન’ અંગે પરિસંવાદ યોજાયો
Follow

Recent Posts

  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
  • આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.