દેવભૂમિ દ્વારકા તા. ૨૦
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધાર્યા છે. ત્યારે ગૃહમંત્રીશ્રીએ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.


કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને ગ્રંથ-ઉપવસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ તકે શારદાપીઠના નારાયણનંદ બ્રહ્મચારીજી, શારદાપીઠના આચાર્ય અશ્વિનભાઈ પુરોહિત, સાંસદશ્રી પૂનમબેન માડમ, દ્વારકાના ધારાસભ્યશ્રી પબુભા માણેક ઉપસ્થિત રહ્યા હતા.