નેપાળ-તિબેટ બોર્ડર (Nepal-Tibet border) વિસ્તારમાં આવેલા વિનાશક પૂર બાદ કૈલાશ માનસરોવર યાત્રા (Kailash Mansarovar Yatra) પર ગયેલા અમેરિકા અને કેનેડાના310 શ્રદ્ધાળુઓ ગુમ થયા છે. આ ગ્રૂપમાં એટલાન્ટાના જાણીતા ટેક્નોલોજી આંત્રપ્રિન્યોર (Technology Entrepreneur) અને સ્વયંસેવક વિવેક શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે.
યુએસ સિટીઝન (US Citizen) શ્રીવાસ્તવ તેમના ગ્રૂપ સાથે કૈલાશ યાત્રા પર હતા ત્યારે 26 ઓગસ્ટની સવારે રસુવાગઢી-ગ્યીરોંગ બોર્ડર કોરિડોર (Rasuwagadhi-Gyirong border corridor) પાસે તેમનો સંપર્ક તૂટી ગયો હતો.
પરિવારો દ્વારા મળેલી માહિતી અનુસાર, આ ગ્રૂપ છેલ્લે નેપાળના સમય મુજબ સવારે 8:30 વાગ્યે નેપાળ-ચીન બોર્ડર (Nepal-China border) પાસે રસુવાગઢી ઇમિગ્રેશન ઓફિસ (Immigration Office) ખાતે જોવા મળ્યું હતું. ત્યારપછી તેમના વિશે કોઈ માહિતી મળી નથી.
વિવેક શ્રીવાસ્તવ એન્શ્યોર ટેક્નોલોજીસ (Enshure Technologies) ના પ્રેસિડેન્ટ છે અને ટેક્નોલોજી સેક્ટરમાં કાર્યરત છે. તેઓ એટલાન્ટાના ઇન્ડિયન-અમેરિકન (Indian-American) સમુદાયમાં સેવા સંસ્થાઓ અને શ્રી કૃષ્ણ વૃંદાવન (SKV) મંદિર સાથે તેમના સ્વયંસેવક (Volunteer) તરીકેના કાર્યો માટે પણ અત્યંત જાણીતા છે. તેમના સાથી સ્વયંસેવકો અને સમુદાય તેમના સુરક્ષિત પરત ફરવા માટે પ્રાર્થના કરી રહ્યો છે.
આ ગુમ થયેલા ગ્રૂપમાં 9 યુએસ સિટીઝન (US citizens) છે, જેમાં અનિલ ગોયલ, શ્રીનિવાસ સુધીર રંગુ, સુધિન્દ્ર યાપલપારવી, લક્ષ્મીનાથ ગોપીશેટ્ટી, વેંકટરામન બાલસુબ્રમણ્યમ, કીર્તિ આચાર્ય, વેંકટ બેંગ્લોર, કેશવ રાવ તાડીપત્રી અને વિવેક શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક કેનેડિયન સિટીઝન (Canadian citizen) મહેન્દ્ર ગુપ્તા પણ તેમની સાથે છે.
પરિવારોએ નેપાળ અને ભારતની ઓથોરિટીઝ (Authorities) ને આ પ્રવાસીઓની શોધખોળ કરવા માટે અપીલ કરી છે. જો કોઈને પણ આ ગ્રૂપ વિશે માહિતી મળે તો પરિવારોનો +1 202-993-9110 પર સંપર્ક કરવા જણાવાયું છે.
