અમેરીકા-કેલિફોર્નિયાના નોર્વોક ખાતે આવેલ સનાતન ધર્મ ટેમ્પલ માં હનુંમાન ચાલીસાના પાઠ યોજાઈ ગયા….
કેલિફોર્નિયાના સનાતન ધર્મ ટેમ્પલમાં તારીખ ૨૫મી ને શનિવારે સાંજે સર્વ ધર્મ દેવી-દેવતા અને રામદરબાર સન્મુખ સાસ્ત્રીજી શ્રી સુનિલ ત્રિવેદીની આગેવાનીમાં હનુંમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પાઠમાં લગભગ ૭૫ જેટલા ભક્તોએ ભાગ લીધો હતો….

આ હનુંમાન ચાલીસાના પાઠ વિશ્વ શાન્તિ માટે દર મહિનાના છેલ્લા શનિવારે સાંજે ૫ થી ૭ માં કરવામાં આવે છે…. ત્યાર બાદ સંધ્યા આરતી બાદ પ્રસાદ ગ્રહણ કરી સૌ છુટા પડે છે.
( માહિતી અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )
