Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી ‘એક પેડ મા કે નામ‘ અભિયાનનો પ્રારંભ કરાવશે

Chief Editor June 4, 2026
Bhupendra Patel

Ek Ped Maa Ke Naam | વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત “એક પેડ મા કે નામ” અભિયાનના ત્રીજા તબક્કાનો આવતીકાલથી ભવ્ય પ્રારંભ થશે.

ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી આ રાજ્યવ્યાપી “એક પેડ મા કે નામ 3.0” મહાઅભિયાનનો શુભારંભ કરાશે. ગાંધીનગરના ‘જ’ રોડ પર લોકભવન સ્ટાફ ક્વાર્ટર્સ નજીક 0.5 હેક્ટર વિસ્તારમાં ‘વનકવચ’ પદ્ધતિથી અંદાજે 5000 રોપાઓનું વાવેતર કરીને આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

Join Our WhatsApp Group

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્ય મંત્રી પ્રવિણ માળીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આ ગ્રીન કવર (Green Cover) અભિયાનને વેગવાન બનાવવામાં આવશે.

પર્યાવરણીય સંતુલન અને જીવ-વૈવિધ્ય (Biodiversity) ની જાળવણી માટે ગાંધીનગરમાં 57 જેટલી સ્થાનિક પ્રજાતિઓના રોપાનું ત્રિ-સ્તરીય વાવેતર કરાશે.

વન વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના લોકસભા વિસ્તારને ‘હરિયાળા લોકસભા’ બનાવવા માટે અંદાજે 500 હેક્ટરથી વધુ વિસ્તારમાં 50 લાખથી વધુ રોપાઓ વાવીને ‘વન કવચ – માઈક્રો ફોરેસ્ટ’ (Micro Forest) તૈયાર કરવાનું આયોજન છે.

આ મહાઅભિયાનના પ્રથમ દિવસે જ સમગ્ર ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી કક્ષાએ નક્કી કરાયેલા 50 હજાર જેટલા જૂથો દ્વારા 12-12 રોપાઓનું વાવેતર કરીને કુલ 6 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, 8 થી 14 જૂન 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘પર્યાવરણ સપ્તાહ’ (Environment Week) ની ઉજવણી કરવામાં આવશે.

આ સપ્તાહ દરમિયાન તમામ 265 તાલુકાઓ અને વિધાનસભા વિસ્તારોમાં સઘન વૃક્ષારોપણ (Afforestation) કાર્યક્રમો યોજાશે. તાલુકા કક્ષાના વિવિધ કાર્યક્રમો દ્વારા 1.53 લાખથી વધુ રોપાઓનું વાવેતર અને 1.87 લાખથી વધુ રોપાઓનું સામાન્ય નાગરિકોને વિનામૂલ્યે વિતરણ (Free Distribution) કરવામાં આવશે. તેમજ તાલુકાઓના 861 નિયત સ્થળો પર વધુ 4.15 લાખ રોપાઓ વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાવવામાં આવશે. વન વિભાગે રાજ્યના પ્રત્યેક નાગરિક અને સામાજિક સંસ્થાઓને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેના જતન માટે અપીલ કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Bhupendra Patel (ભૂપેન્દ્ર પટેલ) Gandhinagar (ગાંધીનગર) Gujarat CM (ગુજરાતના મુખ્યંત્રી)

Post navigation

Previous: તેજીના સંકેત: સોનું રૂ.1,70,000 અને ચાંદી રૂ. 3,00,000 સુધી પહોંચવાનો અંદાજ
Next: મમતાની પાર્ટીમાં ડખો, કેન્દ્રમાં BJP માટે બંધારણીય બિલો પાસ કરવાનો માર્ગ મોકળો થશે!
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.