Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મમતા બેનર્જીના હારના 10 કારણો

Chief Editor May 4, 2026
4-5 Mamta2

મમતા બેનર્જીના હારના 10 કારણો

1 – ધ્રુવીકરણ.
મમતાની છબી, તેમના નિવેદનો અને પાર્ટી નેતાઓના નિવેદનોએ હિન્દુ મતદારોને ભાજપના પક્ષમાં એકજૂટ કર્યા.પ.બંગાળમાં ઉભી થઇ રહેલી બાબરી મસ્જીદને છૂપો ટેકો. લાંબા સમયથી મુસ્લિમ ગુંડાઓ દ્વારા પ્રજોને થતી હેરાનગતી સામે મૌન ભારે પડ્યું હતુ.

2-રિવર્સ પોલરાઈઝેશન….
બાબરી મસ્દીદ ઉભી કરી રહેલા હુમાયુ કબીર કોઈ મોટો મુદ્દો નહોતો રહ્યો. પરંતુ મમતાનો મૌન ટેકો શંકાસ્પદ બન્યો હતો. .તેમ છતાં એ પ્રકારનો માહોલ બનાવવામાં આવ્યો કે હુમાયુના પક્ષમાં કેટલાક વિસ્તારોમાં મુસ્લિમો એકજૂટ થઈ રહ્યા છે. મમતાના સ્ટિંગ ઓપરેશન, શરૂઆતમાં ઓવૈસીના ગઠબંધનને કારણે રિવર્સ પોલરાઈઝેશનનો માહોલ બન્યો. ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ એકજૂટ થયા હતા.
3 – ઓબીસી એકજૂટતા.
ઓબીસીને મમતા સમજી શક્યા નહીં એટલે મમતા બેનર્જીએ આ મુદ્દાને સ્પર્શ્યો નહોતો. અત્યાર સુધી બંગાળની સત્તામાં કાયસ્થ, બ્રાહ્મણોનું પ્રભુત્વ રહ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપે ઓબીસી મુખ્યમંત્રી, ઓબીસી સરકારના અવાજને બુલંદ કર્યો. ટીએમસીને આ મુદ્દે વિચારવાની અક્કલ નહોતી પહોંચી

 

4 – પરિવર્તનનો બુલંદ અવાજ.
મમતા બેનર્જી ત્રણ વખતથી મુખ્યમંત્રી છે. સત્તા વિરોધી લહેરને -એન્ટીઇન્કમબન્સીને ભાજપે હવા આપી. મમતાના શાસનને જંગલરાજ ગણાવ્યું. કટમની (ભ્રષ્ટાચાર) અને મહિલા સુરક્ષાને મુદ્દો બનાવ્યો. મમતાએ વિકાસના નામે આને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા.

5- માઇક્રો મેનેજમેન્ટ.
ભાજપે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આશરે દસ હજાર કાર્યકર્તાઓને પ્રચારમાં કામે લગાવ્યા હતા. એક વિધાનસભામાં લગભગ 30 થી 40 બીજા રાજ્યોના કાર્યકર્તાઓની ટીમ. આમાં સંગઠનના પદાધિકારીઓથી લઈને સાંસદ, ધારાસભ્ય બધા જોડાયા. અંદાજે 45 થી 50 દિવસનો ટાસ્ક પૂરો કર્યો. આ માટે ભાષા કે ક્ષેત્રનું કોઈ બંધન રાખ્યું નહીં. દરેક ટીમમાં એક-બે બાંગ્લા ભાષીઓને રાખ્યા. બિહાર, ઝારખંડ, આસામ, પૂર્વોત્તરના રહેવાસી સીમાવર્તી કાર્યકર્તાઓને ગ્રામીણ વિસ્તારોમાં ફરજ સોંપી હતી. દરેકના ઓપિનીયન લેવાયા હતા.
6 – હાઇનેટવર્થ વાળા લોકોનો ભરોસો
ગઇ ચૂંટણીમાં હાઇ નેટવર્થવાળા-ભદ્રલોકોનું સમર્થન છેલ્લી ઘડીએ ભાજપને મળ્યું નહોતું. પરંતુ મમતા તેમને સાથી રાખવાનું ભૂલી ગયા હતા. મમતા જીત માટે આત્મવિશ્વાસમાં આવી ગયા હતા. તેમના કરતાં તેમના ભત્રીજા સાંસદ અભિષેક બેનરજીનું અભિમાન વધુ હતું. હાઇ નેટવર્થવાળાઓએ તેમને ટેકો નહોતો આપ્યો કેમકે તેમનો સંપર્ક કરવા તૃણમૂલમાંથી કરવા કોઇ નહોતું આવ્યું. દેશનું મીડિયા યુદ્ધમાં વ્યસ્ત રહ્યું. ભાજપે નીતિન નવીનને ભદ્રલોકના પ્રતીક બનાવીને રજૂ કર્યા. કુર્તા, ધોતી અને જેકેટ દ્વારા સંદેશ આપ્યો. કોલકાતામાં જ નીતિન નવીને નાની-મોટી 50 થી વધુ મીટિંગો અને મુલાકાતો કરી.

7 – RSS નો શક્તિ સહયોગ
આ ચૂંટણી માટે RSS એ લગભગ બે લાખ બેઠકો પૂર્ણ કરી. RSS એ ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સરકારી કર્મચારીઓ અને લેફ્ટની વિચારધારાથી પ્રભાવિત પરિવારોને હિન્દુવાદી વિચારથી આકર્ષિત કર્યા. ગ્રામીણ વિસ્તારોને અલગ-અલગ સેક્ટરમાં વહેંચીને વ્યૂહરચના બનાવી.

8- બંગાળી અસ્મિતાનું ભાજપ સંસ્કરણ.
બંગાળને લઈને ભાજપે અલગ વ્યૂહરચના પર કામ કર્યું. એવા મુદ્દાઓને હવા ન આપી જેનાથી મમતા બેનર્જીને અસ્મિતા પર પ્રહાર કરવાની તક મળે. ભાજપે સ્થાનિક નેતાઓને આગળ રાખ્યા. વાતચીત અને નિવેદનબાજીમાં તેમને જ પ્રાધાન્ય આપ્યું. તેમની પાસે જ એજન્ડા સેટ કરાવ્યા. મમતાને પ્રહાર કરવાની તક ન મળી. ઝાલમુરી, ફૂટબોલ, માછલી – દરેક તસ્વીરમાં સંદેશ હતો. જેનું માર્કેટીંગ પણ કરાયું હતું.
9- મહિલા શક્તિ.
મહિલાઓ માટે અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી યોજનાઓને આધાર બનાવ્યો. સુરક્ષાને ટોચના એજન્ડામાં રાખી. આર.જી. કર પીડિત પરિવારને ઉમેદવાર બનાવીને સંદેશ આપ્યો કે મહિલા સન્માન અને સુરક્ષા જ એની નીતિ છે. અમિત શાહના ભાષણો અને નિવેદનોને જુનિયર નેતાઓએ દોહરાવ્યા. કેસેટ અને ટેપ દૂર-દૂરના વિસ્તારોમાં વગાડવામાં આવ્યા.કેન્દ્ર સરકારની મફત સારવારની સ્કીમ મમતાે લાગુ નહોતી કરી તે મુદ્દો પમ ભાજપને કામ લાગ્યો હતો.

10-સુરક્ષા.
બંગાળની ચૂંટણીમાં હિંસા સામાન્ય માનવામાં આવતી હતી. શહેરી વિસ્તારોમાં મતદારો ડરના માર્યા બહાર નીકળતા નહોતા. આ વખતે લશ્કરના જવાનોની તૈનાતી, અને ચૂંટણી પછી પણ જવાનો 15 દિવસ રહેશે એવી જાહેરાતથી મહિલા મતદારોનો ડર ભાજપે ખતમ કર્યો હતો જેના કારણે . મતદાનની ટકાવારી પણ વધી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: 50 વર્ષોમાં પહેલીવાર, ભારતમાં ડાબેરીઓનો છેલ્લો કિલ્લો ઢળી પડ્યો ! કેરળમાં હાર તરફ LDF
Next: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે પાંચ ભારે પોર્ટલ બીમ લૉન્ચ
Follow

Recent Posts

  • અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક
  • 2026માં 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડશે, જાણો ક્યાં વસશે?
  • અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા
  • Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ બનાવી શકે છે કંગાળ, આજે જ હટાવો, વરસશે પૈસા!
  • ભારતની ડિજિટલ આઝાદી જોખમમાં? કોઈ અન્ય દેશ પાસે છે આપણી ‘ઓફ સ્વિચ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.