અમેરિકામાં નાગરિકતા મુદ્દે વાત કરતાં અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને નરકનું દ્વાર ગણાવ્યું હતું, જેના પર ભારતે સરકારે વળતો પ્રહાર કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ભારત વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમે તે ટિપ્પણીઓ જોઈ છે, અને સાથે જ તેના જવાબમાં અમેરિકન દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા તે પછીના નિવેદનને પણ. આ ટિપ્પણીઓ સ્પષ્ટપણે જાણકારી વગરની, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી છે.
આ અગાઉ, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોડકાસ્ટરની અપમાનજનક પોસ્ટ શેર કરી હતી, જેમાં ભારત અને ચીનને નરક બતાવવામાં આવ્યું હતું. જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી હતી. રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અમે કેટલીક ખબરો જોઈ છે. હું આ બાબતને અહીં જ છોડું છું. જ્યારે આખા વિવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પની ચોતરફ નિંદા થઈ ત્યારે અમેરિકાએ આખા મામલે યુ-ટર્ન લેતા તેને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું માનવું છે કે ભારત એક મહાન દેશ છે, જેનું નેતૃત્વ તેમના સારા મિત્ર કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ આડાતેડા નિવેદનો કરીને હવે ભરાયા છે કેમકે ભારતના લાખો લોકો અમેરિકામાં રહે છે જે હવે વિરોધ દર્શાવશે.
