ગુજરાત ATS (Anti-Terrorism Squad) દ્વારા ઝડપાયેલા બે આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ આરોપીઓ ભારતમાં ‘ગઝવા-એ-હિંદ’ (Ghazwa-e-Hind) ની સ્થાપના કરવાના મનસૂબા સાથે દેશના મોટા નેતાઓ અને RSS ના પદાધિકારીઓ પર હુમલો (Attack) કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. સિદ્ધપુરથી ઝડપાયેલા ઇરફાન પઠાણ અને મુંબઈના મુરશીદ નામના આરોપીઓ સોશિયલ મીડિયા (Social Media) પર અત્યંત સક્રિય હતા.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ દેશમાં કટ્ટરપંથી વિચારો વાયરલ કરવા માટે 12 થી 13 જેટલા WhatsApp ગ્રુપ બનાવ્યા હતા. આ ગ્રુપમાં તેઓ પાકિસ્તાની (Pakistan) કટ્ટરપંથી સંગઠનો અને સિરિયાના ISIS ના વીડિયો અને ઉશ્કેરણીજનક મેસેજ મોકલતા હતા. ઇરફાન પઠાણ, જે M.Sc. નો અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam) ની તૈયારી કરતો હતો, તે આ ગ્રુપ દ્વારા યુવાનોને ગુમરાહ કરી દેશ સામે યુદ્ધ છેડવા માટે તૈયાર કરતો હતો.
આરોપીઓ હુમલા માટે ફંડિંગ (Funding) અને હથિયાર (Weapons) મેળવવાના પ્રયાસો પણ કરી રહ્યા હતા. ATS અને અન્ય એજન્સીઓ હવે એ તપાસી રહી છે કે આ લોકોએ કોઈ ચોક્કસ સ્થળની રેકી (Reece) કરી હતી કે કેમ. હાલમાં સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સખત વોચ (Watch) રાખવામાં આવી રહી છે.
