Iran and India Oil Trade: મધ્ય-પૂર્વ (Middle East) માં યુદ્ધના કારણે સર્જાયેલી ઓઈલ કટોકટી વચ્ચે 2019 પછી પહેલી વખત ઈરાનના ક્રૂડ ઓઈલ (Crude Oil) સાથે ભારતનું જહાજ ગુજરાતના બંદરે પહોંચશે. ભારતે અમેરિકાના પ્રતિબંધો (US Sanctions) ને કારણે 2019 થી ઈરાન પાસેથી તેલની ખરીદી બંધ કરી હતી. જોકે, અમેરિકાએ પ્રતિબંધોમાં 30 દિવસ માટે છૂટ આપતા ભારતીય રિફાઈનરીઓ ફરી સક્રિય થઈ છે.
હોર્મુઝની નાકાબંધી છતાં રાહત
હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં ઈરાનની નાકાબંધીને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની અછત સર્જાઈ છે. આ સ્થિતિમાં અમેરિકાએ 19 એપ્રિલ સુધી પ્રતિબંધો હળવા કર્યા છે. તેના પગલે 6 લાખ બેરલ ક્રૂડ ઓઈલ સાથે ‘પિંગ શન’ (Ping Shan) નામનું વેસલ (Vessel) ગુજરાતના વાડીનાર બંદરે પહોંચી રહ્યું છે.
ભારતને મળી શકે છે મોટો ફાયદો
ભારતીય રિફાઈનરીઓ હાલ ઓઈલની અછતનો સામનો કરી રહી છે ત્યારે આ સમાચાર મોટી રાહત સમાન છે. રિપોર્ટ મુજબ:
સમુદ્રમાં ઈરાની વેસેલ્સમાં લદાયેલા 9.5 કરોડ બેરલ તેલમાંથી 5.1 કરોડ બેરલ ભારતને વેચાય તેવી શક્યતા છે.
બાકીનું તેલ ચીન (China) અને દક્ષિણ-પૂર્વ એશિયા (South-East Asia) ના દેશોમાં જઈ શકે છે.
વાડીનાર બંદરે રશિયન કંપની રોસનેફ્ટ (Rosneft) ની પેટા કંપની નાયરા એનર્જી (Nayara Energy) ની મોટી રિફાઈનરી આવેલી છે, જે આ તેલનો ઉપયોગ કરી શકે છે.
ઓઈલ મંત્રાલય (Ministry of Petroleum) ના જણાવ્યા મુજબ, ઈરાની લાઈટ અને હેવી ગ્રેડ તેલની ખરીદીનો નિર્ણય ટેક્નો-કોમર્શિયલ (Techno-commercial) સંભાવનાઓ જોઈને લેવામાં આવશે.
