Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

અમદાવાદમાં છેલ્લા 9 વર્ષમાં 1295 પાકિસ્તાની લઘુમતીઓ બન્યા ભારતીય નાગરિક

Chief Editor March 31, 2026
pakistani-minorities-get-indian-citizenship-ahmedabad-9-years-data

ભારત-પાકિસ્તાનના ભાગલા સમયથી શરૂ થયેલી સિંધુથી સાબરમતીની સફર આજે પણ ચાલુ છે. છેલ્લા 9 વર્ષમાં અમદાવાદમાં રહેતા 1295 પાકિસ્તાની લઘુમતી (Minorities) ઓને ભારતની નાગરિકતા (Indian Citizenship) આપવામાં આવી છે. દર વર્ષે અંદાજે 150 જેટલા પાકિસ્તાની લઘુમતીઓ ભારતીય નાગરિક બનવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર (District Collector) સમક્ષ અરજી કરે છે.

700 જેટલી અરજીઓ હજુ પ્રક્રિયા હેઠળ છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાન છોડીને અમદાવાદમાં સ્થાયી થયેલા 2049 લોકોએ નાગરિકતા માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી અત્યાર સુધી 1295 પાકિસ્તાની હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને સત્તાવાર નાગરિકતા મળી છે.

હાલમાં મેઘાણીનગર, સરદારનગર અને નરોડા જેવા વિસ્તારોમાં આ પરિવારો વસવાટ કરી રહ્યા છે, જ્યારે 500 થી 700 જેટલી અરજીઓ હજુ પેન્ડિંગ (Pending) છે. ઓનલાઇન અરજી બાદ IB તપાસ અને શપથ વિધિની પ્રક્રિયામાં 6 થી 8 મહિનાનો સમય લાગે છે.

કલેક્ટરને નાગરિકતા આપવાની વિશેષ સત્તા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016 અને 2018 માં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ (Kutch) જિલ્લાના કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતીઓને નાગરિકતા આપવાની વિશેષ સત્તા સોંપવામાં આવી હતી. આ ઉપરાંત, વર્ષ 2019 ના નાગરિકતા સુધારા કાયદા (CAA) મુજબ, 31 ડિસેમ્બર 2014 પહેલા આવેલા લઘુમતીઓ માટે રહેઠાણનો સમયગાળો 11 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરી દેવાયો છે, જેનાથી નાગરિકતા મેળવવી સરળ બની છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Pakistan (પાકિસ્તાન)

Post navigation

Previous: PM નરેન્દ્ર મોદીએ કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું
Follow

Recent Posts

  • અમદાવાદમાં છેલ્લા 9 વર્ષમાં 1295 પાકિસ્તાની લઘુમતીઓ બન્યા ભારતીય નાગરિક
  • PM નરેન્દ્ર મોદીએ કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું
  • હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો ટોલ ટેક્સ અસ્વીકાર્ય, થોડા દિવસોમાં યુદ્ધનો આવશે અંત: અમેરિકાની કડક ચેતવણી
  • ઈરાન સામેના ‘ગ્રાઉન્ડ ઓપરેશન’માં અમેરિકા એકલું પડ્યું? ઈઝરાયલ પોતાની સેના નહીં મોકલે
  • ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં ભારત બનશે મધ્યસ્થ? પાકિસ્તાન આતંકવાદમાં ઘેરાયેલું હોવાથી ઈઝરાયલનો ભારત પર ભરોસો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.