Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ: મિલકતની તબદીલી માટે લેવી પડશે મંજૂરી

Chief Editor March 25, 2026
જામનગર જિલ્લા સેવા સદન

જામનગર જિલ્લા સેવા સદન

Jamnagar Ashant Dhara News: જામનગર (Jamnagar) શહેરના સીટી સર્વે-1 (City Survey-1) અને સીટી સર્વે-2 (City Survey-2) માં સમાવિષ્ટ કુલ 29 જેટલા વિસ્તારોમાં આગામી 5 વર્ષ માટે અશાંતધારો (Disturbed Areas Act) લાગુ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં હવે 22 માર્ચ 2031 સુધી મિલકતની ખરીદ-વેચાણ માટે ખાસ નિયમોનું પાલન કરવું પડશે.

જે વિસ્તારોમાં આ કાયદો લાગુ થયો છે તેમાં રાજગોર ફળી, નાગર ચકલો, પંચવટી, અણદાબાવાનો ચકલો, સોની ફળી અને ખવાસ વાડો સહિતના મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. નવા નિયમો મુજબ, આ વિસ્તારમાં મિલકતની તબદીલી (Property Transfer) સમયે ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ, 1991 ની જોગવાઇઓનું પાલન કરવું અનિવાર્ય છે.

હવેથી આ વિસ્તારોમાં કોઈપણ મિલકત ટ્રાન્સફર કરવા માટે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ (Sub-Divisional Magistrate) અને પ્રાંત અધિકારી (Prant Officer) જામનગર શહેરની પૂર્વ પરવાનગી (Prior Permission) મેળવવાની રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મિલકતની તબદીલી પર નિયંત્રણ લાવવાનો અને ભાડૂતોને રક્ષણ પૂરું પાડવાનો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Ashant Dhara (અશાંત ધારો) Jamnagar (જામનગર)

Post navigation

Previous: IPL 2026: KKR એ રિંકુ સિંહને સોંપી મોટી જવાબદારી, આન્દ્રે રસેલની જર્સી થઈ રિટાયર
Next: નવસારીમાં નરાધમ સાવકા પિતાની ક્રૂરતા: બે સગીર દીકરીઓ પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
Follow

Recent Posts

  • રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી
  • વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદની મુલાકાત રેલવેમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે લીધી
  • મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો, ચંદ્રિમા ભટ્ટાચાર્યે બંગાળ TMC ચીફ સહિત તમામ પદો પરથી આપ્યું રાજીનામું
  • ‘તને તો હું જ મારીશ’ ગેંગ્સ ઓફ વાસેપુરના ગેંગસ્ટર પ્રિન્સ ખાને ધારાસભ્ય પાસે માંગી ખંડણી, આપી 24 કલાકની મિલત
  • ‘પપ્પા, તમે મારી જિંદગી બનાવી દીધી…’ દીકરીએ સંભળાવી ઓટો ડ્રાઈવર પિતાના સંઘર્ષની ભાવુક કહાની
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.