kirti patel indrabharti bapu junagadh controversy ends
Junagadh kirti Patel Controversy Settled | જૂનાગઢ (Junagadh) માં છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલા હાઈપ્રોફાઈલ વિવાદનો આખરે અંત આવ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ (Kirti Patel) અને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ (Indrabharti Bapu) વચ્ચેના મનભેદ હવે દૂર થયા છે.
કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુને આદરપૂર્વક સાલ ઓઢાડીને તેમના આશીર્વાદ લીધા હતા. મૃગી કુંડમાં ‘શાહી સ્નાન’ (Shahi Snan) બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા હતા કે તેમને બાપુના ઇશારે નિશાન બનાવવામાં આવ્યા હતા.
જોકે, સનાતન ધર્મ (Sanatan Dharma) ની એકતા જાળવી રાખવા અને સાધુ-સંતોના સન્માન ખાતર આ વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે. કીર્તિ પટેલે જણાવ્યું હતું કે અનેક લોકોએ ભારતી પરિવાર (Bharti Family) ને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુરુ હરીહરાનંદ ભારતી બાપુના માન-સન્માન માટે તેમણે સમાધાનનો માર્ગ પસંદ કર્યો છે.
આ પ્રસંગે જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમાધાનથી ગિરનારની તળેટીમાં ફરી એકવાર ધાર્મિક અને શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થયું છે.
